SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ મંગલાચરણ ~ કે, હજારો અને લાખો મૂક પ્રાણીઓને પ્રતિદિન મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવે છે. મનુષ્યો જે માંસાહાર ત્યાગ કરીને સાત્વિક ભોજન લેતા થઈ જાય તો હજારો લાખો અબોલ પ્રાણીઓને જીવિત દાન મળે. માંસાહાર વગેરે પાપો એવા છે કે, અત્યારે દેખીતું નુકશાન ભલે દૃષ્ટિપથમાં ન પણ આવે એટલે રાજસત્તા તરફથી કોઈ પ્રકારનું કષ્ટ માથે ન પડે, પણ તેવા જીવોને કર્મસત્તા તો છોડવાની જ નથી. ભવોભવમાં તેવા જીવોને દુર્ગતિના દારૂણ દુઃખ ભોગવવાં જ પડશે. જો કે દારૂ પીનારા છે અને માંસ ભક્ષણ કરનારા મનુષ્યોને આ લોકમાં પણ શારીરિક અને માનસિક અનેક કષ્ટ ભોગવવાં જ પડે છે. શરાબ પીવાથી અનેક દોષો ઊભા થાય છે. અને તેવા શરાબી મનુષ્યો શરાબના નશામાં ને નશામાં ક્યારેક એવો અનર્થ કરી બેસે છે કે દુનિયામાં તો ઠીક પણ પોતાના સ્વજનોને પણ મોં બતાવી શક્તા નથી. માટે માંસાહાર, મદિરાપાન વગેરે. પાપો ભલે અદૃષ્ટ ફળ આપનારા કહેવાતા હોય, એટલે કે અદૃષ્ટ ઉપદ્રવના હેતુ કહેવાતા છતાં તે પણ ત્રિવિધ પરિહરવા યોગ્ય છે. તેવાં પાપો સેવનારા પરલોકમાં તો દુર્ગતિના અધિકારી બને છે છતાં આ લોકમાં પણ માંસાહારી અને શરાબી મનુષ્યોને અનેક કષ્ટ વેઠવાં પડે છે. સુક્તના ભંડાર ગુપ્ત રાખો અને બાપ જાહેર કરો પુણ્યનાં કાર્યો મનુષ્યો જગજાહેર કસ્તા હોય છે,
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy