SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ૧૩૭. પરલોકમાં ગયા હશે તેમના તો ભુક્કાજ બોલી જવાના છે. માટે પરલોક તો છે ને છે જ. તેમાં શંકા કરવી તે મિથ્યાત્વનો ઉદય કહેવાય છતાં શિખામણ કેટલી સરસ આપી કે ભાઈ ! તને શંકા રહેતી હોય તો પણ તું દુષ્કમનો પરિત્યાગ કરી દેજે. નહીં તો ખેર નથી કે તું ભવાંતરમાં ક્યાંય ઊભો રહી શકે ? કયાંનો કયાં દુર્ગતિમાં ફેંકાઈ જઈશ. ફરી અનંત કાળે મહા મુસીબતે પાછાં સદગતિનાં દ્વાર ખુલશે. માટે તું પંડિત હો અથવા તારામાં થોડી પણ સુબુદ્ધિ હોય તો તું પાપથી ડરતો રહેજે. - - :.. ! દષ્ટ અને અદષ્ટ પાપો . કેટલાક દૃષ્ટ પાપો હોય છે અને કેટલાક અદૃષ્ટ પાપ હોય છે. દેખીતું નુકશાન કરતા હોય તે દુષ્ટ પાપ કહેવાય. જેમ કે ચોરી, જારી, જુગાર રમવું વગેરે સમગ્ર જગતમાં પ્રસિદ્ધ પાપો છે, અને દેખીતું તત્કાલિક નુકશાન કરનારા છે. ચોરી અને જારીનું પાપ સેવનારાઓને આ લોકમાં રાજસત્તા તરફથી વધ બંધન વગેરે અનેક કષ્ટો ભોગવવા પડે છે, અને પરલોકમાં તો તેવા જીવો દુર્ગતિના અધિકારી બને છે. ' જ્યારે મદિરાપાન માંસ ભક્ષણ વગેરે પાપો અદૃષ્ટ નુકશાન કરનારા છે. જો કે મદિરાપાન મહાપાપ છે. તેવા મનુષ્યોની આ લોકમાં પણ ઈજજત રહેતી નથી. અને માંસ ભક્ષણ કરવું તે પણ મહાપાપ છે. આજે દુનિયામાં માંસાહાર વધ્યો એટલે રોજીંદો સંહાર પણ એટલું બધો વધી પડ્યો
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy