________________
૧૨૨
મંગલાચરણ
શિષ્યો જેટલા મોક્ષપદને પામેલા છે, તે કરતાં શિષ્યાઓ ઘણી મોટી સંખ્યામાં મોક્ષપદને પામેલી છે. ઉત્કૃષ્ટા પુરૂષલિંગે એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય છે તો સ્ત્રીલિગે ૨૦ આત્માઓ. સિદ્ધ થાય છે તો ગૃહલિંગે ૪ સિદ્ધ થાય છે કૃત્રિમ નપુંસક-- લિંગે ૧૦ આત્માઓ ઉત્કૃષ્ટા એક સમયે સિદ્ધ થાય છે.
- પંદર ભેદે સિદ્ધ કહ્યા તેમાં અન્ય લિંગે પણ સિદ્ધ કહ્યા છે. આ ઉપરથી સમજી શકાશે કે જેના દર્શનની કેટલી વ્યાપકતા અને વિશાળતા છે. પંદર ભેદ જે કહ્યા તે દ્રવ્યલિંગની અપેક્ષાએ છે. સમ્યક્ જ્ઞાન દર્શન અને ચારિત્ર સ્વરૂપ જે ભાવલિંગ છે તેમાં ભેદ છે જ નહીં. તે તો બધાને માટે એક અને અભેદ છે. આ ઉપરથી સમજી શકાશે કે સ્ત્રીઓને પણ સાચી. સ્વતંત્રતા પૂરેપૂરી અપાએલી છે,
કુળવધુ વિનમ્ર ભાવ રાખે અને સાસુ વાત્સલ્યભાવ
રાખે તો ઘરનું વાતાવરણ સ્વર્ગ તૂલ્ય અને
વિશેષમાં સ્ત્રી જીવનની રક્ષા માટે ઉપરોક્ત બતાવેલા. ઉપાયોની જેમ માતાતૂલ્ય વૃદ્ધ સ્ત્રીઓની વચમાં રહેવાથી. અને સાસુ વગેરેનો વિનય જાળવવાથી પણ સ્ત્રીજીવનનું રક્ષણ થાય છે. કુળવધુ સાસુનો વિનય જાળવે અને સાસુ, કુળવધુ પ્રતિ વાત્સલ્યભાવ રાખે પછી ગૃહકંકાસ ઊભો થવાનું કોઈ કારણ જ નહીં રહે ? અને ઘરનું વાતાવરણ સ્વર્ગસૂલ્ય. બની જાય. ક્ષુદ્ર હૃદયના મનુષ્યો માટે આ સંભવિત નથી.