________________
મંગલાચરણ
૨
ન જ ચાલે, એ વાત જ કયાં રહી.
જે સજ્જન હોય તે પણ પોતાની આજીવિકા ચલાવે, પણ ન્યાયથી. તેને ફિકર પેટ ભરવાની જ હોય, પેટી–પટારા ભરવાની નહીં ! માટે જ ભતૃહિર લખી ગયા છે કે, ન્યાયપૂર્વકની આજીવિકા જ જેમને પ્રિય છે, પ્રાણ ક'ઠે આવી જાય તેવા સમયે પણ જેઓ નિન્દ્રિત કાર્ય આચરતા નથી, આર્થિક સ્થિતિ ગમે તેવી નમળી હોય છતાં દુનની આગળ યાચના કરવી નહીં એવો દૃઢ નિયમ જેમણે ધારણ કરેલો હોય છે; અરે ! દુનની આગળ હાથ લાંખા કરવાની તો વાત કયાંય રહી, પોતાનો મિત્ર પણ કેમ નથી હોતો, તે પણ આર્થિક દૃષ્ટિએ ક્ષીણ થઈ ગયેલો હોય, તો તેવા મિત્ર પાસે પણ માગવું નહીં.
અશુભના ઉદયને ધર્મીજીવ નિરાનો અપૂર્વ અવસર સમજે
આપત્તિના સમયે પણ ઉત્તમ સ્થાનને ન છોડવું આજે જરાક સંકટ આવે કે, મનુષ્યો ધર્મ છોડી દે છે. પણ તેમણે સમજવું જોઈએ કે, અશુભ કર્મના ઉદયે સંકટ આવે છે. અને તેવા પ્રસંગે પરિત્યાગ કરવો હોય તો અશુભ કર્માનો પરિત્યાગ કરી દેવો, એટલે સંકટ આવવાનું કોઈ કારણ જ ન રહે. આ તો તરત બેલી નાખે કે, ધીને ત્યાં ધાડ ને પાપીને શ્રી કેળાં ! અથવા જુના જમાનાની કહેવતો યાદ કરે. ભાઈ, આ તો નમાજ પઢવા જતાં મસ્જિઢ કોટે