________________
મ ગલાચરણ
આપવું, તે જ ખરું સુદાક્ષિણ્ય. આ બધા ગુણોને સદાચારમાં ગણ્યા છે. અને શિષ્ટજનો તેવા સદાચારથી વિભૂષિત હોય છે.
સજજનોનું અસિધારા વ્રત યોગી શ્રી ભર્તુહરી નીતિશતકમાં લખે છે કે, તલવારની ધાર પર ચાલવા જેવું આ તીક્ષ્ણવ્રત સતપુરૂષોને કોણે શિખવ્યું હશે ? અર્થાત્ કોઈએ શિખવ્યું નથી, પણ તેમના જીવનમાં તેવું અસિધારા વ્રત સ્વભાવસિદ્ધ હોય છે. કયું તે વ્રત ? તે અંગે લખે છે કે :
प्रियान्याय्या वृत्तिर्मलिन मसुभोऽप्यसुकरं, त्वसन्तोनाभ्यर्थ्याः सुह्रदपि नयाच्य कृषधनः । विपद्युच्चैः स्थेयं, पदमनुविधेयंच महतां, सतां केनोद्धिष्टं, विषममसिधाराव्रतमिदम् ।।
ન્યાયથી આજીવિકા ચલાવવી એ જ સજ્જનોને પ્રિય હોય છે. જ્યારે આજે તો મોટા ભાગના મનુષ્યો એમજ માની બેઠા છે કે, ન્યાયથી વર્તવા જઈએ તો જીવન નિર્વાહ ન થઈ શકે. પણ તે મોટામાં મોટી ભ્રમણા છે.
નીતિ ને ન્યાયથી વર્તનાર પોતાનું અને પોતાના કુટુમ્બીઓને નિર્વાહ સુખેથી કરી શકે. પણ આજે નિર્વાહના દયેયથી જ અર્થાર્જન કરનારા કેટલા છે? મોટા ભાગનાને ધન ભેગું કરવું છે, પછી ન્યાયથી આજીવિકા