________________
મંગલાચરણ
છે ? પણ શું કરું, આજીવિકાના સાધનના અભાવે તેવો પાપનો ધંધો પણ મારે કરવો પડ્યો છે. હવેથી તો, તેવો પાપનો ધંધો હું નહીં જ કરૂં. જેવો મારો આત્મા તેવોજ તે પ્રાણીઓનો આત્મા છે. મને એવી રીતે કોઈ જાળમાં પકડે તો રિબામણ કેવી થાય ? કોઈ પણ પ્રાણીઓને હવેથી મારે પણ મૃત્યુનું દુઃખ આપવું નથી.” આવા શુભ વિચારોથી તે મચ્છીમારના જીવનમાં અજબ પરિવર્તન આવે છે, અને તેને કોઈ નિર્દોષ ધંધાની લાઈન મળી આવે છે. પછી તે તેવા પાપના ધંધાનો પરિત્યાગ કરી દે છે. નીતિના સદ્રવ્યનો માનવીના મનોગત પરિણામ ઉપર કેવો અપૂર્વ પ્રભાવ પડે છે, તે આ દૃષ્ટાંતથી વિચારી લેવાનું છે.
રાજાની સોનામહોર યોગીના હાથમાં મૂકવામાં આવી હતી. રાજાએ પહેલાંથી પોતાના માણસને કહી રાખેલું કે, કોઈ પવિત્ર પુરૂષના હાથમાં આપણું સોનામહોર મૂકજે. એટલે કોઈ જટાધારીને રાજાની સુવર્ણ મુદ્રિકાનું દાન કરવામાં આવ્યું હતું. સોનામહોરનો તેને સ્પર્શ થતાં જ તેના વિચારોમાં કોઈ અજબ ગજબનું પરિવર્તન આવવા લાગી ગયું ! તેની ભીતરની દુનિયામાં એક પ્રકારનું જાણે આંદોલન શરૂ થઈ ગયું. તેને મનમાં એવા ખોટા વિચારો આવવા લાગ્યા કે : "कई दिनोंसे मै तपोवनमें तप कर रहा हूं! योग साधनामी कई वर्षोसे कर रहा हूं। छोटी उमरमें ही मैंने कुटुम्बका मोह छोडके यह त्यागका रास्ता लिया हुआ है । प्रेयका मार्ग छोडके कई वर्षोसे मैने यह श्रेयका मागं लिया है ।