________________
દ
નક્કી કર્યું તેની નકલ.)
- : દેવદ્રવ્ય ઃ
(૧) જિનપ્રતિમા, (૨) જૈન દેરાસર
દેવદ્રવ્યની વ્યાખ્યા :
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના પાંચ કલ્યાણકાદિ નિમિત્તે તથા માળા પરિધાપનાદિ દેવદ્રવ્ય વૃદ્ધિના કાર્યથી આવેલ તથા ગૃહસ્થોએ સ્વેચ્છાએ સમર્પણ કરેલ ઇત્યાદિ દેવદ્રવ્ય કહેવાય છે.
ત્રણ શ્રમણ સંમેલનના ઠરાવોનો નિષ્કર્ષ :
→ પૂર્વોક્ત ચારે ઠરાવોમાં દેવદ્રવ્યની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે. તથા શાસ્ત્રાનુસારે તેની રક્ષા-વૃદ્ધિ કરવા અંગેની ગંભીરતાચિંતા સ્પષ્ટ જણાય છે. તદુપરાંત, જ્યાં જ્યાં એ વ્યવસ્થા અજ્ઞાનાદિના કા૨ણે જોખમાઈ છે, ત્યાં ત્યાં શાસ્ત્રાનુસા૨ી પરંપરા અનુસારે એ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવાનું ઠરાવ્યું છે.
→ સં. ૧૯૭૬ના શ્રમણ સંમેલને પ્રથમ ઠરાવમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, કોઈપણ વિષયમાં (ધર્મદ્રવ્યની વ્યવસ્થામાં કે વિધિ-નિષેધની વ્યવસ્થામાં) સાક્ષાત્ શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પરંપરા જ પ્રમાણભૂત છે અને એ બે દ્વારા જ કોઈપણ વિષયમાં વિહિતતા-અવિશ્ચિતતા સુનિશ્ચિત થાય છે.
→ અહીં યાદ કરાવવું જરૂરી છે કે, સં. ૧૯૭૬’ના શ્રમણ સંમેલનના આઠ ઠરાવો (કે જે પૂર્વે જણાવ્યા છે, તે સર્વે ઠરાવો) પાછળ આપેલા પરિશિષ્ટમાં સહી કરનારા પૂજ્ય આચાર્ય ભગવંતો આદિ દ્વારા સર્વસંમતિથી કરાયા છે અને શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરાને સંપૂર્ણપણે સાપેક્ષ છે. આમ છતાં એ ઠરાવો પૈકીના બીજા ઠરાવની સાથે પૂ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ જોડીને તેઓશ્રીના ‘વિચાર સમીક્ષા’ પુસ્તકમાં છપાયેલા એ ઠરાવને આગળ કરીને “તેઓ