SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સુવિહિત વ્યવસ્થાની જ સુરક્ષા થયેલી જોવા મળશે. (અહીં તે તે સંમેલનના ઠરાવોની યાદી મૂકીએ છીએ. સમગ્ર ઠરાવ પરિશિષ્ટ-૧માં મૂકવામાં આવેલ છે. તેમાં શ્રીતપાગચ્છના કયા કયા પૂજ્યોની સહીઓ છે તે અને બાકીની આનુષંગિક માહિતી જાણવા મળશે.) (A) વિ.સં. ૧૯૭૬ના મુનિસંમેલનમાં દેવદ્રવ્ય અંગે થયેલા ઠરાવો ઃ(૧) શાસ્ત્ર (સાક્ષાત્-અનંતર અને પરંપરા રૂપ શાસ્ત્ર) વિના કોઈ પણ જાતની સિદ્ધિ થતી જ નથી. (૨) જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિનચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે. (૩) શાસ્ત્રોક્ત રીતિએ દેવદ્રવ્યની વ્યાજ વગેરે દ્વારા વૃદ્ધિ અને રક્ષા કરવી એ શ્રાવકોનું મુખ્ય કાર્યોમાંનું એક કાર્ય છે, અરે ! સંસારથી પાર ઉતરવાનો તે એક માર્ગ છે. (૪) જૈનથી પણ ન થાય તેવાં પાપકાર્યોમાં દેવદ્રવ્યનો વ્યય થતો નથી. (૫) પાંચ-સાત મુખ્ય સ્થાનો સિવાયનાં સ્થળોએ દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય એ ઉભયની એક સરખી જરૂરત છે. (૬) દેવદ્રવ્યની જે જે આવકો મકાનના ભાડા દ્વારાએ, વ્યાજ દ્વારાએ, પૂજા-આરતી-મંગલદીવો વગેરે વગેરેના ચઢાવા દ્વારાએ થતી હોય, તે તે રસ્તાઓને બંધ કરવાનું ફળ શાસ્ત્રકારો સંસાર પરિભ્રમણ કહે છે. (૭) માલોઘાટન-પરિધાપનિકામોચન અને પૂંછનકરણ વગેરેમાં ચઢાવાથી કાર્ય કરવાની રીતિ સેંકડો વર્ષ પહેલાંથી ચાલી આવતી શાસ્ત્રમાં કહેલી છે. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ માળા પહેરવી વગેરે કાર્યો વિવેકીઓએ કરવાં જોઈએ એમ શાસ્ત્રકારો કહે છે અને તેથી
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy