________________
४४०
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ખર્ચમાં લઈ જવા માટે તે દેવદ્રવ્ય નથી અને તેથી તે દેવદ્રવ્યમાં નહિ લઈ જતા બીજે લઈ જવા, એવો બકવાદ ચલાવે છે. તેને અંગે શાસ્ત્રાનુસાર શ્રદ્ધાવાળાઓ તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, જો ચૌદ સ્વપ્નો વગેરેનું ઘી બોલાય છે, તે પ્રથમ તો તીર્થંકરપણાની સ્થિતિનું અનુકરણ છે અને તે ગજવૃષભાદિ સ્વપ્નો ભગવાન તીર્થંકરની માતાને આવેલા છે...સ્વપ્નાની બોલીની પ્રવૃત્તિ મુખ્યતાએ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે જ છે. ઐન્દ્રી આદિ માળાનો પ્રસંગ નિયમિત ન હોવાને લીધે, તેને સ્થાને તે કરેલી જણાય છે. કેમકે, પર્યુષણાના અણતિકા વ્યાખ્યાનમાં પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, દેવદ્રવ્યની વૃદ્ધિને માટે એન્ટ્રી આદિ માળાની પ્રવૃત્તિ બંધ થઈ ત્યારે આ સ્વપ્નાદિની બોલીની પ્રવૃત્તિ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રવર્તેલી છે. કેમકે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ તો જિનેશ્વર મહારાજના ઉપાસકોનું પરમ કર્તવ્ય જ છે.
(– આગમ જ્યોત, વર્ષ ૪, પેજ પ૧.)
_
(C) “xxx ખુદ હરિભદ્રસૂરિજી સંબોધ પ્રકરણ મેં ફરમાતે હૈ કિ આદાન (આવક) આદિ સે આયા હુઆ દ્રવ્ય જિનેશ્વર મહારાજ કે શરીરમેં હી લગાના ઔર અક્ષત, ફલ, વળી, વસ્ત્રાદિક કા દ્રવ્ય જિનમંદિર કે લિયે લગાના ઔર ઋદ્ધિ યુક્ત સે સમ્મત (અન્દશ વાલે) શ્રાવકોને યા અપને જિન ભક્તિ નિમિત્ત જો દ્રવ્ય આચરિત હૈ વહ મન્દિર મૂર્તિ દોનો મેં લગાના ઇસ લેખ સે સમઝના ચાહિયે કિ જિનેશ્વર મહારાજ કી ભક્તિ કે નિમિત્ત હોતી હુઈ બોલી કા દ્રવ્ય દૂસરે કિસી મેં ભી નહીં લગ સકતા હૈ”
(પૂ.સાગરજી મ. લિખિત “દેવદ્રવ્ય યાને ચૈત્યદ્રવ્ય” પુસ્તક, પૃ. ૩૩)
(નોંધઃ આ પુસ્તકમાં તેઓશ્રીએ દેવદ્રવ્ય અંગેની પોતાની માન્યતાને શાસ્ત્રપાઠોના આધારે સ્પષ્ટ કરી છે.)
ટિપ્પણીઃ- (૧) પૂ. સાગરજી મહારાજ અને એમના સમુદાયની “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય” આવી માન્યતા ઉપરના તેમજ બીજા અનેક લખાણોથી દીવા જેવી સ્પષ્ટ જોવા મળે છે. પૂ. સાગરજી મહારાજે વીર શાસનના ૧૯૨૭ના અંકોમાં દેવદ્રવ્ય અંગે અનેક લેખો લખીને સુંદર