________________
४३८
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (પૂજ્ય સકળ શ્રી જૈન સંઘ) ઉપસ્થિત થાય છે. ત્યારે સૌથી મોટું કાર્યરૂપદેવદ્રવ્યના ઉકેલ માટે જ વાતો થાય અને તે જ ધનની ઉપજ કરવાની હોય.
શ્રી તીર્થકર દેવ “શ્રી અવનથી જ ત્રણશાન સહિત અને જન્મથી જ ચાર અતિશયોથી યુક્ત હોય છે. માટે શ્રી ચ્યવનકલ્યાણક સમયના સ્વપ્ના તથા ઘોડીયા પારણાનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય.
શ્રી ભારતવર્ષનો પૂજય સકળ શ્રી જૈન સંઘ ભાદરવા શુદિ ૧ ના શુભ દિને સ્વ સ્થાનમાં ઉપાશ્રયોમાં ઉપસ્થિત થાય છે. પરસ્પર સૌ સાથે સંબંધ બાંધે છે. તો ઉત્કૃષ્ટો જ સંબંધ બાંધવો, તે હિસાબે પણ સ્વપ્ન, ઘોડીયા પારણાની ઉપજ દેવદ્રવ્ય જ છે.