________________
૪૩૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા જૈન મુનિવરોની ઉપબિબે પ્રકારની હોય છે. એક ઔધિક ઉપધિ અને બીજી ઔપગ્રહિક ઉપાધિ હોય છે. તેમાં મુહપત્તિ રજોહરણ આદિ ઔધિક ઉપધિ મુખ્ય કહેવાય અને કારણે રાખવા પડતાં કેટલાંક ઉપકરણો (સાધનો) ઔપગ્રહિક અર્થાત સહાયક ઉપધિ કહેવાય. “તક્રકૌષ્ઠિન્ય ન્યાયે” ભોજ્ય ભોજક સંબંધે ઔધિક ઉપધિ ગુરુદ્રવ્ય ગણાય છે. સુવર્ણાદિ દ્રવ્ય મૂકીને કરેલ ગુરુ પૂજનનું દ્રવ્ય ભલે ઔધિક ઉપધિ કે ઔપગ્રહિક ઉપધિ કોટીનું ગુરુદ્રવ્ય ન ગણાતું હોય, પરંતુ પૂજ્યની પૂજાના સંબંધે તે સુવર્ણાદિક દ્રવ્ય ગુરુદ્રવ્ય જ ગણાય છે. જો એ રીતે સ્વીકારવામાં નહિ આવે તો, “શ્રી શ્રાદ્ધજિતકલ્પ”ની વૃત્તિ સાથે વિરોધ આવશે.
“શ્રી પ્રશ્નોત્તર સમુચ્ચય” “શ્રી આચારપ્રદીપ” “શ્રી આચાર-દિનકર” તથા “શ્રી શ્રાદ્ધવિધિ આદિ ધર્મગ્રન્થોના આધારે ગુરુપૂજન સિદ્ધ થાય છે.
પૂજા સંબંધથી ગૌરવ યોગ્ય ઉચ્ચસ્થાનમાં ગુરુપૂજનના દ્રવ્યનો સચ્ચય કરવો, એવું વિધાન “શ્રી દ્રવ્યસપ્તતિકા આદિ ધર્મગ્રન્થોમાં હોવાથી, શ્રી જિનેન્દ્ર પરમાત્માની અંગપૂજામાં ગુરુદ્રવ્યનો ઉપયોગ ન કરતાં, શ્રી જિનચૈત્યાદિ નિર્માણકાર્યમાં તેમજ શ્રી જિનચૈત્યાદિના જીર્ણોદ્ધાર આદિમાં જ સવ્યય કરવો. એ શાસ્ત્રસિદ્ધ પરમ હિતવંતો સુવિહિત માર્ગ છે. ગુરુદ્રવ્યનો ઉપયોગ સધ્યય કયાં ક્યાં કરી શકાય? તેની સ્પષ્ટ સમજ “ગુરુદ્રવ્ય અને તેનો સધ્યયની વ્યાખ્યામાં જણાવેલ છે.
પૂજયપાદ ગુરુમહારાજ સમક્ષ આલેખેલ ગહુલી તેના ઉપર ચઢાવેલ શ્રીફળ તેમજ સોનારૂપાદિની વસ્તુ કે નાણું પણ દેવદ્રવ્ય ખાતે લઈને તેનો ઉપયોગ જીર્ણોદ્ધારમાં કરવો.
– શ્રી જિનેન્દ્રશાસનના પરમપ્રભાવક પરમ પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજે દૂરથી હાથ ઊંચો કરીને આશીર્વાદરૂપે ધર્મલાભ આપેલ શ્રી વીરવિક્રમ મહારાજાએ પરમ અહોભાવથી એક ક્રોડ સુવર્ણમુદ્રા પૂજય ગુરુમહારાજ સમક્ષ ધરી હતી. પૂજ્યપાદશ્રીએ તે સુવર્ણમુદ્રા શ્રી જૈન સંઘને અર્પણ કરાવીને જિનાલયોના જીર્ણોદ્ધારમાં તેનો સવ્યય કરાવ્યો.
- શ્રી ધારા નગરીના શ્રી લઘુ ભોજરાજાએ પરમ પૂજ્યપાદ વાદી વેતાલ