________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૪૨૬
ઉપેક્ષા કરે છે, તે શ્રાવક પ્રજ્ઞાહીન = મંદબુદ્ધિવાળો થાય છે અને પાપ કર્મથી લેપાય છે.
आयाणं जो भंज पडिवन्न-धणं न देइ देवस्स । રહંત ચોવિવવરૂ સો વિ ટ્ટુ પત્તિમમફ સંસારે ॥ (શ્રાદ્ધવિધિ)
સારાંશ ઃ જે જીવ દેવદ્રવ્યાદિના મકાનનું ભાડું આપતો નથી, દેવસંબંધી કાર્યમાં આપવા માટે સ્વીકારેલા (કહેલા) ધનને આપતો નથી અને કોઈ દેવદ્રવ્યનો વિનાશ કરતો હોય કે દેવદ્રવ્યની ઉઘરાણીમાં ઉપેક્ષા કરતો હોય, ત્યારે તેની ઉપેક્ષા કરે, તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
(નોંધ : જે આત્મા દેવદ્રવ્યાદિના મકાનનું ભાડું, પર્યુષણાદિમાં બોલેલા ચડાવા, સંઘનો લાગો અને ફંડમાં લખાવેલી રકમ ભરતો નથી અથવા વ્યાજ વિના લાંબા સમયે ભરે છે, દેવદ્રવ્યની આવક તોડે છે, કોઈ દેવદ્રવ્યનો વિનાશ કરતો હોય અને ઉઘરાણીમાં ઉપેક્ષા કરતો હોય, તેની જે ઉપેક્ષા કરે છે, તે સંસારમાં પરિભ્રમણ કરે છે.)
चेइदव्वविणासे तद्, दव्वविणासणे दुहिए । साहु उविक्खमाणो अनंतसंसारिओ होइ ॥
સારાંશ ઃ ચૈત્યદ્રવ્ય એટલે કે સોના, ચાંદી, રૂપિયા વગેરેના ભક્ષણથી વિનાશ કરે, ચૈત્યદ્રવ્યમાં સમાવિષ્ટ એવા જિનમંદિરના નવા ખરીદેલા દ્રવ્યો કે જૂનાં મંદિરના ઈંટ, પત્થર, લાકડા વગેરેનો વિનાશ કરે છે અને વિનાશ કરનારની ઉપેક્ષા કરે છે, તો તે સાધુ હોય તો પણ અનંત સંસારી થાય છે.
चेइअदव्वं साधारणं च भक्खे विमूढमणसा वि । परिभमइ, तिरीयजोणीसु अन्नाणित्तं सया लहई ॥
(સંજ્ઞેય પ્રાળ મા. ૨૦૩)
– સંબોધ પ્રકરણમાં કહ્યું છે કે, દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને જે મોહથી ગ્રસિત મનવાળો વ્યક્તિ ભક્ષણ કરે છે, તે તિર્યંચ યોનિમાં પરિભ્રમણ કરે છે અને હંમેશા અજ્ઞાની બને છે.