SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧૧ : વિ.સં. ૨૦૪૪ના સંમેલનની | જાણવા જેવી હકીકતો નોંધઃ અહીં કેટલીક જાણવા જેવી હકીકતોને પ્રસ્તુત કરીએ છીએ. વિ.સં. ૨૦૪૪ના સંમેલનમાં હાજર રહેલા અને એકવાર ટેકો આપ્યા પછી પણ સત્ય સમજાતાં સંમેલનનો વિરોધ કરનારા પૂ. આચાર્ય ભગવંતાદિના નિવેદનો પ્રસ્તુત કરીએ છીએ. (A) સકલશ્રી જૈન સંઘને જાહેર ખુલાસો સમેલનમાં થયેલા વિવાદાસ્પદ ઠરાવો અંગે શ્રી સંઘને સત્ય સમજાવવાના શુભ ઉદ્દેશથી તા. ૨૯-૫-૦૮ના રવિવારે નગરશેઠના વંડે જાહેર પ્રવચનમાં રજૂ કરેલી સત્ય હકીકતોને જ્યારે કોઈપણ રીતે ખોટી સાબિત કરી શકાય તેવું રહ્યું નથી, ત્યારે સકળ શ્રી સંઘને ગેરમાર્ગે દોરવા માટે કોઈકે “જાહેર પ્રવચનમાં મેં કરેલી રજૂઆત બદલ હું પશ્ચાત્તાપ વ્યક્ત કરું છું ઈત્યાદિ બાબતનો” મારા નામે જે પત્ર બહાર પાડ્યો છે તે મેં લખ્યો નથી. માટે એ પત્રથી કોઈએ ભ્રમમાં પડવાની જરૂર નથી. હું પુનઃ શ્રી સંઘની જાણ માટે જાહેર કરું છું કે સમેલને કરેલા વિવાદાસ્પદ ઠરાવો શાસ્ત્રવિરુદ્ધ છે.” લી. મુનિ રૈવતવિજય (બાલમુનિ) મુ. મહેસાણા તા. ૨-૬-૮૮ ૧૨ ગુજરાત સમાચાર, સોમવાર, તા. ૬ જૂન, ૧૯૮૮ (મુંબઈ આવૃત્તિ). (B) શ્રી જૈન સંઘોને નિવેદન અમદાવાદમાં તાજેતરમાં ભરાયેલા શ્રમણ સંમેલમાં ૨૨ નિર્ણયો થવા પામેલ છે. તેમાંના કેટલાક નિર્ણયો વિવાદાસ્પદ જણાવાથી અમારા સાગરસમુદાયના પ્રતિનિધિ આ. શ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ સંમેલનના સુત્રધાર
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy