SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧૦ વિ.સં. ૨૦૪૪ના સંમેલનના અધ્યક્ષશ્રી પૂ. આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા)નો સંમેલનની નિષ્ફળતા અંગેનો હૃદયદ્રાવક પત્ર % હીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પરમોપકારી ગુરુદેવ શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી ગુરુભ્યો નમઃ આચાર્ય શ્રી વિજય રામસૂરિ શાન્તિનગર જૈન ઉપાશ્રય મુ.પો. અમદાવાદ તા. ૧૯ (પ્ર.) ભા.સુ. ૧૦ સં. ૨૦૪૯ તત્ર શાસનપ્રભાવક આચાર્ય શ્રી મેરૂપ્રભસૂરિજી મ. આદિ જોગ.... અનુવંદના વંદના સુખશાતા સહ અત્ર દેવગુરુકૃપાએ સુખશાતા વર્તે છે. આપશ્રી સર્વે શાતામાં હશો. અત્ર સર્વે શાતામાં છીએ. આપનો ૧૬,૮નો પત્ર મળ્યો. આપે મારો અભિપ્રાય પૂછાવ્યો તો જણાવવાનું કે આ સંમેલનને સફળ કહેવું તે મને વ્યાજબી લાગ્યું નથી. આ સંમેલનનું ધ્યેય સમગ્ર તપગચ્છની એકતાનું હતું. પરંતુ તે અપેક્ષા પૂર્ણ ન થઈ ને કેટલાંય સમુદાય તેમાંથી સત્તાવાર કે બિનસત્તાવાર રીતે ખસતા ગયાં તે અંગે પણ આપણાં તરફથી કોઈ પ્રતિક્રિયા પણ કરવામાં આવી નથી. ચાલુ સંમેલન દરમ્યાનમાં જ મેં આ તિથિના નિર્ણયને હાલ જાહેર ન કરવા જણાવેલ....સામા પક્ષને જ્યાં સુધી આ નિર્ણયમાં અનુકૂળ ન કરીએ ત્યાં સુધી એકતા આભાસી જ રહેશે. પરંતુ તે વખતે આપણા પક્ષે ઓકારસૂરિજી આદિનું વલણ, નિર્ણય જાહેર કરી જ દેવાનું હતું. એમની ગણતરી પ્રમાણે સામો પક્ષ પાછળથી પણ આ નિર્ણયમાં જોડાશે જ. પણ તે ગણતરી સંપૂર્ણ ખોટી પડી
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy