________________
પરિશિષ્ટ-૬
૩૮૩ અને જિનમંદિર આ બે ક્ષેત્રોનું ભેગું દ્રવ્ય છે. અર્થાત્ યોગ્ય રીતે બે જ ક્ષેત્રમાં તે દ્રવ્ય ખરચી શકાય છે.
24198 Il 2114-11 : (Souree Income)
દેવદ્રવ્યની વૃદ્ધિ કરતાં રહેવું તે ગૃહસ્થનું એક મહત્ત્વપૂર્ણ કર્તવ્ય છે. આ ક્ષેત્રમાં સીધેસીધી રકમ જમા કરાવીને અથવા દહેરાસરના દેવદ્રવ્યના ભંડારમાં યથાશક્તિ પૈસા નાખીને દેવદ્રવ્યની વૃદ્ધિ થઈ શકે છે. તે ઉપરાંત તીર્થમાં સંઘવીને પહેરાવાની તીર્થમાળના ચઢાવા, ઉપધાનની માળાના ચઢાવા, ભગવાનની પૂજાના ચઢાવા, પ્રભુ પ્રતિષ્ઠા-અંજનશલાકા અને ધ્વજારોપણ વગેરેના ચઢાવા, રથયાત્રાવરઘોડામાં ભગવાનને લગતા બધા ચઢાવા વગેરે અનેક રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ થઈ શકે છે. આ બધા ચઢાવાનું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે જ જમા થાય છે. xxx
XX પ્રશ્ન-૬ : વળી આ પણ સમજી રાખો કે પવિત્ર દેવદ્રવ્યનો ઉપયોગ શ્રી જિનમૂર્તિ અને જિનમંદિરને લગતા શાસ્ત્રીય કાર્યોમાં જ થઈ શકે બીજા કાર્યોમાં કદાપિ થઈ શકે નહિ. xx
xx ઉત્તર :- જુઓ! તમે દેવદ્રવ્ય તરફ નજર કરશો નહિ. કટોકટીની સ્થિતિમાં તીર્થ વગેરેમાં બીજું કોઈ સાધન ન હોય ત્યારે ભગવાન અપૂજ ન રહે એ માટે કે બીજા કોઈ સંજોગોમાં દેવદ્રવ્યના કેસર-સુખડથી પૂજા થાય છે તે એક અલગ વાત છે, તમારામાંના ઘણા બધા સુખી અને સમ્પન સારી નોંધપાત્ર સ્થિતિવાળા છે. તેમજ ધર્મભાવના નથી એવું ય નથી, ફકત ઉલ્લાસનો તોટો છે, એ તોટો નીકળી જાય તો સાધારણ ખાતાનોય તોટો નીકળે. એટલે તમે સાધારણ ખાતામાં ઉલ્લાસપૂર્વક રકમ લખાવતા થઈ જાઓ એ પહેલો ઉપાય છે. દેવદ્રવ્યના દુરુપયોગથી નુકશાન
શ્રી સંઘના દરેક સભ્યોની અને ખાસ ટ્રસ્ટીઓની એ ફરજ છે કે, દેવદ્રવ્યની એક પણ પાઈનો દુરુપયોગ ન થવો જોઈએ. દેવદ્રવ્યનું ભક્ષણ કરાય જ નહિ અને કરતાં હોય તેવાને અટકાવવા અને દેવદ્રવ્યનું લેણું વસૂલ કરવા શક્ય બધા જ ઉપાયો કરવા જોઈએ. દેવદ્રવ્યનું દેવું રાખીને મરનારને ભવોભવ ભુંડી રીતે ભટકવું પડે છે. દેવદ્રવ્યનું ભક્ષણ થતું હોય ત્યારે તેની ઉપેક્ષા સાધુ કરે તો તે સાધુ ય અનંત સંસારી થાય એમ શાસ્ત્રોમાં કહ્યું છે.
- મુનિ જયસુંદર વિજય