SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 2 વિકલ્પોને સાચા માનવાનો જ એનો આગ્રહ હોય છે. તેના કારણે જિનવચનને (આગમના પદાર્થોને) તે સ્વીકારતો નથી અને આગમના અર્થને સ્વીકારે તો પણ તે વિપરીત રીતે સ્વીકારે છે. ૦ મિમીન:- કુતર્ક અભિમાનને કરનારો છે. કારણ કે, તે મિથ્યા અભિમાનનો જનક છે. હું અતીન્દ્રિય પદાર્થોને સારી રીતે જોઈ શકે છે, એવા મિથ્યાભિમાનને કુતર્ક ઉત્પન્ન કરે છે. આ રીતે કુર્તક આધ્યાત્મિક વિકાસના અનન્ય ઉપાયભૂત બોધ, ઉપશમ, શ્રદ્ધા અને નમ્રતાને નાશ કરતો હોવાથી અંતઃકરણનો અનેક પ્રકારે ભાવશત્રુ છે. તેથી જે સાધકે અવેદ્યસંવેદ્યપદને જીતવું છે, તે સાધકે કુતર્કમાં અભિનિવેશ કરવો નહીં. પરંતુ શ્રત, શીલ અને સમાધિમાં આગ્રહ કરવો એમ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં ફરમાવ્યું છે. कुतर्केऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले, समाधौ च महात्मनाम् ॥८॥ આથી આત્માર્થી જીવોએ કુર્તકો કરીને જિનતત્ત્વને દૂષિત કરવાની પ્રવૃત્તિ કરવી લેશમાત્ર ઉચિત નથી અને જગતમાં પ્રસરેલા કુતર્કોની જાળમાં ફસાઈને પોતાના બોધ-શ્રદ્ધાને મલિન બનાવવાની જરૂર નથી. અહીં ઉલ્લેખનીય છે કે, કુતર્કોની જાળમાં જે ફસાતો નથી અને કદાચ ફસાયો હોય, તો પણ વેળાસર નીકળી જાય છે, તેનો “અસદ્ગહનો વિરહ સહજ બને છે અને તે જ ભવ્યાત્મા અવેઘસંવેદ્યપદને ઓળંગીને વેદ્યસંવેદ્યપદને પામી જાય છે તથા તેના પ્રભાવે સંસારસમુદ્રથી પાર ઉતારનારા લોકોત્તર ધર્મને પામે છે અને તેના યોગે શીધ્રપણે મોક્ષને પામે છે, એમ યોગદષ્ટિસમુચ્ચયકાર મહર્ષિ ફરમાવે છે. આથી કુતર્કની જાળમાં ફસાઈને અસદ્ગહના ભોગ બની ધર્મથી હારી ન જવાય એ માટે સસૂત્ર-ઉત્સુત્ર પ્રરૂપણાનું સ્વરૂપ સમજીને ઉસૂત્રનો ત્યાગ કરવો જોઈએ. જ્ઞાનીઓએ ઉસૂત્રને વિષની ઉપમા આપી છે અને ઉસૂત્ર પ્રરૂપણાથી યાવત્ અનંતસંસારની પ્રાપ્તિ જણાવી છે. તેથી તેનાથી બચતા રહેવું
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy