________________
પરિશિષ્ટ-૫ ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકની અશાસ્ત્રીયતાને પ્રકાશિત
કરતા બે જાહેર પ્રવચનનો સારાંશ -
[નોંધ:- “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તક પ્રકાશિત થયા પછી વિ.સં. ૨૦૫૧ની સાલમાં અમદાવાદ ખાતે પૂ.આ.ભ.શ્રી વિ. સુદર્શનસૂરિજીરાજતિલકસૂરિજી મહોદયસૂરિજી મહારાજાની તારક નિશ્રામાં તે પુસ્તકની અશાસ્ત્રીયતાને જણાવનારાપૂ.આ.ભ.શ્રીમિત્રાનંદસૂરિજી મ.સા.ના જાહેર પ્રવચન થયા હતા. તે પ્રવચનો જિનવાણી વર્ષ-૨૦, અંક-૭-૮માં પ્રકાશિત થયા હતા. તે ઉપયોગી હોવાથી અહીં તેનો સારાંશ ગ્રહણ કર્યો છે. આમાં (૧) સંમેલનના ઠરાવોની અને “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના વિચારોની સમાલોચના છે. (૨) સંમેલન વખતે થયેલી ગતિવિધિઓની માહિતી છે.]
धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनापि शक्तेन, वक्तव्यं तनिषेधितुम् ॥
xxx હું બોલ્યો એ શ્લોકનો અર્થ એવો છે કે – “ધર્મનો ધ્વંસ થતો હોય, શુભ ક્રિયાઓનો લોપ થતો હોય, સિદ્ધાંતના અર્થમાં ફેરફાર કરવામાં આવતો હોય ત્યારે, કોઈ પૂછે નહિ તો પણ શક્તિસંપન્ન આત્માએ તેનો નિષેધ કરવો જ જોઈએ.” ખોટી વાતોને ખોટી સાબિત કરવા સઘળી શક્તિ વાપરવી જોઈએ. આવા સમયે મૌન બેસી રહીએ તો નુકશાન કેટલું થાય? xxx
xxxx દેવદ્રવ્ય-ગુરુદ્રવ્યનો વિષય બહુ ગંભીર અને મહત્ત્વનો છે. જરાય ઉપેક્ષા કરીએ તો દોષના ભાગી બનીએ. ઘા.વ.વિ. પુસ્તકની બીજી આવૃત્તિ બહાર પડી એટલે તરત નિવેદન તૈયાર કરી બહાર પાડ્યું. આમાં બેસી ન રહેવાય. આખા પુસ્તકમાં દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય સામે ચેડા કરવામાં આવ્યા છે.
XXXX
xxx એક આચાર્ય ભગવંતે કહ્યું કે- ટ્રસ્ટીઓને વહીવટ માટે માર્ગદર્શન આપવા પુસ્તક લખ્યું અને તેમાં ભગવાનની આજ્ઞા વિરુદ્ધ આડેધડ દેવદ્રવ્ય વાપરવાની છૂટ આપી. આને માર્ગદર્શન કહેવું કે ઉન્માર્ગદર્શન ? લખ્યું કે -