________________
૩૬૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા નાંખનારાઓની મોટી જમાત ફૂટી નીકળી છે ત્યાં ઘર પૂરતું ય સંગઠન કયાં સંભવિત છે? xxx
xxx જો આ કાળની ભાષામાં બહુમતિમાં હોય તે જ શાસકપક્ષ ગણાતો હોય અને લઘુમતિમાં રહેનાર વિરોધપક્ષ ગણાતો હોય તો ભલે તેમ હો..આપણે વિરોધપક્ષ તરીકેની કામગીરી ઉપાડીએ. શાસકપક્ષની જે કોઈ નીતિરીતી કે ગતિવિધિ જિનશાસનનું અહિત કરનારી બનતી હોય તેની સામે પડકાર કરીએ, સંગઠિત બનીને અવાજ ઉઠાવીએ અને એ અયોગ્ય નીતિરીતિઓનું નિવારણ કરીને જ જંપીએ.
- પં. શ્રી ચન્દ્રશેખર વિજયજી ગણિવર
શુભાભિલાષા રાખીએઃ
આ ઉતારો તેઓશ્રીજીના પુસ્તકમાંથી લેવાયેલ છે. એ પુસ્તકનું પ્રકાશન વર્ષો પૂર્વે થયું છે. એવું બને કે આટલા વર્ષનો આ ગાળો એક દુઃસ્વપ્ન હોય અને એ દુઃસ્વપ્નના અંતે શ્રી સંઘને વીશી પહેલાંના જમાનાવાદના કટ્ટર વિરોધી અને શાસ્ત્રમતિના ચુસ્ત આગ્રહી-પંન્યાસજી શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજશ્રીનો સમુદાય પાછો મળે ! થયેલી ભૂલને સુધારી લેવામાં હિચકીચાટ ન અનુભવવાના પણ કેટલાક દાખલા તેમના નામે નોંધાયેલા છે. વર્તમાન વિવાદમાં તેમના હાથે જે કાંઈ અનુચિત થયું હોય તે જાતે જ સુધારી લેવાની ખેલદિલી તેઓશ્રીવતી તેમનો સમુદાય દાખવશે તો વર્તમાન જૈન સંઘને વિવાદની એક ભયાનક આંધીમાંથી ઉગારી લેવાનું સુકૃત તે સમુદાયના ચોપડે નોંધાશે. “યુગપ્રધાનાચાર્યની પદવી આપવા કરતાં આ એમની મહાન શ્રદ્ધાંજલી ગણાશે.