SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ મ.સા.ના શિષ્ય પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.ના “વાંચો-વિચારો અને વંચાવો” અને “સ્વપ્નદ્રવ્ય અંગે માર્મિક બોધ” - આ બે પુસ્તકમાં રજૂ થવા પામેલા દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય અંગેના વિચારોને સંકલિત કરીને મૂકેલા છે. સોળમા પરિશિષ્ટમાંપૂ.ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર્યશ્રીની ધર્મદ્રવ્ય-વ્યવસ્થા' નામના તેઓશ્રીના પુસ્તકમાં જણાવાયેલું સાતક્ષેત્રાદિનું સ્વરૂપ, તેની આવક અને તેના સદુપયોગ અંગેની માહિતીનું સંકલન કરી અહીં આપેલ છે. -સત્તરમા પરિશિષ્ટમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-સાધારણદ્રવ્યનો મહિમા અને તેના ભક્ષણ-વિનાશથી પ્રાપ્ત થતા કટવિપાકો, જે શાસ્ત્રોમાં વર્ણવાયેલા છે, તે શાસ્ત્રપાઠો (શ્લોકોનું) અર્થસહિત સંકલન કરવામાં આવ્યું છે. – અઢારમા પરિશિષ્ટમાંપૂ.આ.ભ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.ની “ગુરુદ્રવ્ય-ગુરુપૂજન' અંગેની માન્યતા તેમના પુસ્તકમાંથી લઈને સંકલિત કરેલ છે. – ઓગણીસમા પરિશિષ્ટમાં..પૂ.આ.ભ.શ્રી. કલ્યાણસાગરસૂ.મ. સા.ની “સ્વપ્નદ્રવ્ય” અંગેની માન્યતા તેમના પુસ્તકમાંથી લઈને સંગૃહીત કરેલ છે. – વીસમા પરિશિષ્ટમાં. પૂ.આ.ભ.શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.સા. (પૂ.સાગરજી મ.સા.)ની “સ્વપ્નદ્રવ્ય', અને કલ્પિતદેવદ્રવ્ય અંગેની માન્યતા તેમના માસિકાદિમાં છપાઈ હતી. ત્યાંથી લઈને સંગૃહીત કરી છે. – એકવીસમા પરિશિષ્ટમાં.પૂ.આ.ભ.શ્રી.વિ. કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. અને પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી ગણીવર્યશ્રીની ગુરુદ્રવ્ય' અંગેની માન્યતા, કે જે “સ્વપ્ન દ્રવ્યવિચાર” પુસ્તકમાં છપાયેલ છે, તેને ત્યાંથી લઈને અહીં સંકલિત કરેલ છે. – બાવીસમા પરિશિષ્ટમાં સેનપ્રશ્નમાં દેવદ્રવ્ય આદિ અંગે જે પ્રશ્નોત્તરીના માધ્યમે માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, તેનું સંકલન અહીં કરેલ છે.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy