________________
મ.સા.ના શિષ્ય પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.ના “વાંચો-વિચારો અને વંચાવો” અને “સ્વપ્નદ્રવ્ય અંગે માર્મિક બોધ” - આ બે પુસ્તકમાં રજૂ થવા પામેલા દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય અંગેના વિચારોને સંકલિત કરીને મૂકેલા છે.
સોળમા પરિશિષ્ટમાંપૂ.ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર્યશ્રીની ધર્મદ્રવ્ય-વ્યવસ્થા' નામના તેઓશ્રીના પુસ્તકમાં જણાવાયેલું સાતક્ષેત્રાદિનું સ્વરૂપ, તેની આવક અને તેના સદુપયોગ અંગેની માહિતીનું સંકલન કરી અહીં આપેલ છે.
-સત્તરમા પરિશિષ્ટમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-સાધારણદ્રવ્યનો મહિમા અને તેના ભક્ષણ-વિનાશથી પ્રાપ્ત થતા કટવિપાકો, જે શાસ્ત્રોમાં વર્ણવાયેલા છે, તે શાસ્ત્રપાઠો (શ્લોકોનું) અર્થસહિત સંકલન કરવામાં આવ્યું છે.
– અઢારમા પરિશિષ્ટમાંપૂ.આ.ભ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.ની “ગુરુદ્રવ્ય-ગુરુપૂજન' અંગેની માન્યતા તેમના પુસ્તકમાંથી લઈને સંકલિત કરેલ છે.
– ઓગણીસમા પરિશિષ્ટમાં..પૂ.આ.ભ.શ્રી. કલ્યાણસાગરસૂ.મ. સા.ની “સ્વપ્નદ્રવ્ય” અંગેની માન્યતા તેમના પુસ્તકમાંથી લઈને સંગૃહીત કરેલ છે.
– વીસમા પરિશિષ્ટમાં. પૂ.આ.ભ.શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.સા. (પૂ.સાગરજી મ.સા.)ની “સ્વપ્નદ્રવ્ય', અને કલ્પિતદેવદ્રવ્ય અંગેની માન્યતા તેમના માસિકાદિમાં છપાઈ હતી. ત્યાંથી લઈને સંગૃહીત કરી છે.
– એકવીસમા પરિશિષ્ટમાં.પૂ.આ.ભ.શ્રી.વિ. કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. અને પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી ગણીવર્યશ્રીની ગુરુદ્રવ્ય' અંગેની માન્યતા, કે જે “સ્વપ્ન દ્રવ્યવિચાર” પુસ્તકમાં છપાયેલ છે, તેને ત્યાંથી લઈને અહીં સંકલિત કરેલ છે.
– બાવીસમા પરિશિષ્ટમાં સેનપ્રશ્નમાં દેવદ્રવ્ય આદિ અંગે જે પ્રશ્નોત્તરીના માધ્યમે માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, તેનું સંકલન અહીં કરેલ છે.