SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા “સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય” પૂ. પાદ શ્રી આત્મારામજી મહારાજનો સ્પષ્ટ શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરા પ્રમાણેનો અભિપ્રાય. (નોંધઃ છેલ્લા કેટલાક વર્ષથી એવી હવા ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવે છે કે, પૂ. પાદ આચાર્ય મ. શ્રી વિજયાનંદસૂરિ મહારાજશ્રીએ રાધનપુરમાં સ્વપ્નાની ઉપજ સાધારણમાં લઈ જવાનો આદેશ શ્રી સંઘને આપેલ. આ હકીકતનો અમારે પણ વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં સમ્ર પ્રતિકાર કરવાનો અવસર આવેલો. તે વખતે અમારી શુભ નિશ્રામાં શ્રી જૈનશાસનના અનુરાગી શ્રી સંઘે ઠરાવ કરીને રાધનપુરમાં સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવેલ. ત્યારબાદ આજે તો સારાયે રાધનપુર શ્રી સંઘમાં સર્વાનુમતે સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. પણ પૂ. પાદ આત્મારામજી મહારાજજી જેવા શાસનમાન્ય સુવિહિત શિરોમણિ જૈન શાસનસ્થંભ મહાપુરુષના નામે કેવી કપોલકલ્પિત મનઘડંત વાતો વહેતી થાય છે, તે ખરેખર દુઃખદ છે, નીચે રજૂ થયેલ તેઓશ્રીએ રચેલ “ગપ્પ દીપીકા સમીર' નામના ગ્રંથમાંથી તેઓશ્રીએ જે સ્પષ્ટ રીતે જણાવેલ છે, તે ખૂબ મનનીય અને માર્ગદર્શક છે. સ્થાનકવાસી સંપ્રદાયના આર્યા શ્રી પાર્વતીબાઈએ લખેલ “સમકિત સાર' પુસ્તકની સમાલોચના કરતાં પૂ. પાદ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે જે સ્વપ્નની ઉપજ બાબતમાં ખુલાસો કરેલ છે, તેથી સ્પષ્ટ થાય છે કે તેઓશ્રીએ ફરમાવેલ છે કે “સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય છે.” આ પુસ્તક પૂ.પાદ આત્મારામજી મ. શ્રીના આદેશથી તેઓશ્રીના પ્રશિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી વલ્લભવિજય મહારાજશ્રીએ સંપાદિત કરેલ છે. પાછળથી જેઓશ્રી પૂ.આ.ભ. શ્રી વિજયવલ્લભસૂરિ મ. શ્રી તરીકે પ્રસિદ્ધ થયેલ. - સંપાદક) प्रश्न:- सुपने उतारणे, घी चडाना, फिर लिलाम करना, और दो तीन रुपैये मण बेचना, सो क्या भगवान का घी सौदा है क्या ? सो लिखो। उत्तर:- स्वप्न उतारणे घी बोलना, इत्यादिक धर्म की प्रभावना और जिनद्रव्य की वृद्धि का हेतु है, धर्म की प्रभावना करने से प्राणी तीर्थंकर गोत्र बांधता है यह कथन श्री ज्ञातासूत्र में है, और जिनद्रव्य की वृद्धि करने वाला भी तीर्थंकर गोत्र बांधता है, यह संबोधसत्तरी शास्त्र में है और घी के बोलने वास्ते जो घी लिखा है तिस का उत्तर जैसे तुमारे आचारांगादि शास्त्र भगवान की वाणी दो वा च्यार रुपैये को बिकती है ऐसे घी का भी मोल पडता है। સમકિત સારોદ્ધારમાંથી.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy