________________
પરિશિષ્ટ-૨
૩૨૭
જૈન ઉપાશ્રય-કરાડ આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ તરફથી.
ધર્મલાભ. સ્વપ્ન ઉતારવાની ક્રિયા પ્રભુ ભક્તિ નિમિત્તે જ થાય છે. માટે એની ઉપજ ઓછી થાય એવું કોઈપણ પગલું ભરવાથી દેવદ્રવ્યની ઉપજ રોકવાનું પાપ લાગે. એ કારણે જ તમારો ઠરાવ કોઈ પણ રીતે યોગ્ય નથી, પણ શાસ્ત્રવિરુદ્ધ છે. સાધારણની ઉપજ માટે અનેક ઉપાયો યોજી શકાય છે.
અમદાવાદ આદિમાં સ્વપ્નની ઉપજ જીર્ણોદ્ધારમાં જ અપાય છે. જે જે સ્થળે ગરબડ હોય અથવા થઈ હોય તો તે અજ્ઞાનનું જ પરિણામ છે. માટે એનું દૃષ્ટાંત લઈ આત્મનાશક વર્તાવ કોઈ પણ કલ્યાણકામી શ્રી સંઘે ન જ કરવો જોઈએ.
એ જ સૌ શ્રી જિનાજ્ઞાસિક અને પાલક બને, એ જ એક અભિલાષા.
(૮).
શ્રી મુકામ પાટણથી લી. વિજયભક્તિસૂરિ તથા પં. કંચનવિજયાદિ ઠા. ૧૯. મુ. શાંતાક્રુઝ -
દેવગુરુભક્તિકારક ધર્મરાગી જમનાદાસ મોરારજી યોગ્ય ધર્મલાભ વાંચશો. તમારો પત્ર પહોંચ્યો, વાંચી સમાચાર જાણ્યા. તમોએ સ્વપ્નાની બોલીની ઘી બાબતમાં પૂછાવ્યું તેના જવાબમાં -
પ્રથમ અઢી રૂપિયાના ભાવથી દેરાસરજીમાં લઈ જતા. હવે પાંચનો ઠરાવ કરી અડધું સાધારણમાં લઈ જવાનો ઠરાવ કરો છો, તે બાબતમાં વિચારણીય પ્રશ્ન છે. કારણ કે અઢીના પાંચ કરીએ ત્યારે જે અઢીના ભાવથી ઘી બોલાતું હોય તેમાંથી પાંચના ભાવનું સ્વાભાવિક ઓછું જ બોલાય. એટલે મૂળ આવકમાં ફેરફાર થાય. વળી મુનિ સંમેલન વખત-સાધારણમાં અડધું લઈ જવાનો ઠરાવ થયો નથી.
તમારા જેવા ગૃહસ્થો ધારો તો સાધારણનો લેશ માત્ર ખાડો ન પડે, ન