________________
૩૨૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અસલના રૂા. રા) આવે તે હંમેશની માફક દેવદ્રવ્યમાં લઈ જવા અને રૂ. રા) વધારી જે ઉપજ આવે તે સાધારણ ઉપજમાં લઈ જવા. ઉપર મુજબ કરેલો ઠરાવ શાસ્ત્રના આધારે બરાબર છે કે કેમ ? તે માટે આપનો અભિપ્રાય જણાવવા મહેરબાની કરશોજી. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર વગેરેના શ્રી સંઘો સુપનની બોલીની ઉપજની રકમનો કેવી રીતે ઉપયોગ કરે છે તે આપના ધ્યાનમાં હોય તે જણાવશોજી.
નોંધ: શાંતાક્રુઝ શ્રી સંઘ તરફથી લખાયેલ પત્રના ઉત્તરરૂપે પૂ. પાદ સુવિદિત શાસન માન્ય આચાર્ય ભગવંતોનાં તરફથી જે જે પ્રત્યુત્તરો શ્રી સંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજી જે.પી. ઉપર આવેલા છે તે બધાયે પત્રો અત્રે રજૂ થઈ રહેલ છે. જે ઉપરથી સ્પષ્ટ રૂપે જોઈ શકાશે કે, “સુપનની ઉપજના નામે વધારો કરીને લેવાયેલી ઉપજ પણ સાધારણ ખાતામાં ન લઈ જવાય' તેમ સચોટ અને મક્કમપણે પૂ. પાદ શાસનમાન્ય આચાર્ય ભગવંતોએ ફરમાવેલ છે, તો આજે જેઓ સારીયે સ્વપ્નદ્રવ્યની ઉપજને સાધારણ ખાતામાં લઈ જવાની હિમાયત કરી રહેલ છે, તે વર્ગ કેટકેટલો શાસ્ત્રીય સુવિહિત માન્ય પરંપરાથી દૂર-સુદૂર જઈને શ્રી વીતરાગદેવની આજ્ઞાના આરાધક, કલ્યાણકામી અનેક આત્માઓનું અહિત કરવાની પાપપ્રવૃત્તિ આચરી રહેલ છે. તે દરેક સુજ્ઞ આરાધક આત્મા સ્વયં વિચારી શકે છે. - સંપાદક
તા. ૨૩-
૧૩૮ અમદાવાદથી લિ. પૂજ્યપાદ આરાધ્યપાદ આચાર્યદેવ શ્રી શ્રી શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજજી તરફથી તત્ર શાંતાક્રુઝ મધ્ય દેવગુરુ પુણ્ય પ્રભાવક સુશ્રાવક જમનાદાસ મોરારજી વિ. શ્રી સંઘ સમસ્ત યોગ્ય જણાવવાનું કે તમારો પત્ર મળ્યો. વાંચી બીના જાણી. પૂજ્ય મહારાજજી સાહેબને બે દિવસથી બ્લડપ્રેશરનું દરદ થયેલું છે. જેથી આવા પ્રશ્નોના જવાબની માથાકૂટમાંથી છૂટા થયા છે. માટે હવેથી આવા પ્રશ્નો અત્રે મોકલવા નહિ. કારણ કે, દાકતરે મગજમારી કરવાની તથા બોલવાની મનાઈ કરેલી છે.
છતાં અમારો અભિપ્રાય પૂછો તો ટૂંકમાં જણાવીએ છીએ કે, “સુપનની