SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા ૨૭૭ કરીએ તો પુરો ભાવ જૌરવમ્' ગુરુપણું એ જ ગૌરવ અને સીધું જ વિચારીએ તો પંચમહાવ્રતધારી ગુરુઓ શું ગૌરવાહ નથી? કે જેથી એમનો નિષેધ આવશ્યક બને?” સમાલોચના: દ્રવ્યસપ્તતિકારે ગુરુપૂજાના દ્રવ્યને ગૌરવાર્યસ્થાનમાં પ્રયોજવાનું કહ્યું, ત્યાં ગુરુની અપેક્ષાએ “ગૌરવર્ણ સ્થાન જણાવ્યું છે અને ગુરુની અપેક્ષાએ ગૌરવાહ સ્થાન = ઊંચુ સ્થાન નક્કી કરવાનું હોય, ત્યારે ગુરુ પોતે ન બને તે સામાન્યબુદ્ધિથી પણ સમજી શકાય છે. પરિશિષ્ટકારશ્રી જેવી વિશિષ્ટબુદ્ધિ (i) ની જરૂર જ નથી અને ગુરુથી ગૌરવાઈ સ્થાન તરીકે દેવતત્ત્વ જ ગ્રહણ કરી શકાય છે. એટલે પરિશિષ્ટકારની વાત શાસ્ત્રસાપેક્ષ નથી. અહીં ઉલ્લેખનીય છે કે, જ્ઞાનદ્રવ્ય, પૂ.સાધુ-સાધ્વીજી મ.ના અધ્યયનાદિ માટે વપરાતું હોય છે. તેથી તે ગુરુદ્રવ્યની અપેક્ષાએ ગૌરવાહ સ્થાન ન ગણાય. પરંતુ દેવદ્રવ્ય જ ગૌરવા સ્થાન ગણાય. - અન્ય મહાત્માઓના અભિપ્રાયોઃ ગુરુદ્રવ્યના વિષયમાં અન્ય મહાત્માઓએ જે લખાણ કર્યા છે તે અહીં પ્રસ્તુત છે. (A) પૂ.ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મ.ના શિષ્યરત્ન પૂ.પં.શ્રી અભયસાગરજી મ. સાહેબે “શ્રી. જૈનશાસન સંસ્થાની શાસ્ત્રસંચાલન પદ્ધતિ” પુસ્તકના પેજ-૨૨માં જે જણાવ્યું છે. તે નીચે મુજબ છે – ગુરુદ્રવ્ય પંચમહાવ્રતધારી, સંયમી, ત્યાગી મહાપુરુષો કે સામને ગહુલી, અંગપૂજા કે સમય અર્પણ કિયા યા ગુરુપૂજા બોલીકા દ્રવ્ય જિન ચૈત્ય કે જીર્ણોદ્ધાર તથા નવીન ચૈત્ય કે નિર્માણ મેં હી ખર્ચ કરને કા દ્રવ્યસપ્તતિકા મેં ઉલ્લેખ હૈ, કહીર સેવક યા પૂજારી કા લાગ હો તો ઉનકો દિયા જાવે અન્યથા દેવદ્રવ્ય જીર્ણોદ્ધાર ખાતે મેં જાના ચાહિએ. શ્રી કુમારપાલ રાજા પ્રતિદિન ૧૦૮ સ્વર્ણ કમલોં સે શ્રી હેમાચાર્ય કી પૂજા કિયા કરતે થે. પ્રશ્નોત્તર સમુચ્ચય, આચાર પ્રદીપ, આચાર દિનકર,
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy