________________
૨૭૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ભક્ષણ થઈ જતું જોઈને અનુભવીને જ વિચાર થયો કે કોઈ શાસ્ત્રપાઠથી જો સાધુ-વૈયાવચ્ચના ખાતાની આવકનું દ્વાર ખુલતું હોય તો સારું અને તેવો પાઠ મળતાં જ જીર્ણોદ્ધારનો પરંપરાગત વિકલ્પ ખુલ્લો રાખવાપૂર્વક સદર ઠરાવ કર્યો.”
– પૂર્વોક્ત લખાણમાં લેખકશ્રીની ઠરાવની પાર્શ્વભૂમિકા જણાવવામાં વાપરેલી ચાલાકી જોઈ શકાય છે. પૂર્વે સંઘ-ટ્રસ્ટીના અજ્ઞાનતાદિ દોષથી અજાણતાં દેવદ્રવ્યનું ભક્ષણ થઈ જવાની સંભાવના સાધુને રહેતી હતી, ઠરાવ કર્યા પછી અને જો એનો અમલ કરવાનો થાય તો સત્તાવાર રીતે દેવદ્રવ્યનું ભક્ષણ કરવાનું પાપ ચાલું થશે. કારણ કે, સંમેલને દેવદ્રવ્યમાં જવા યોગ્ય રકમને સાધુવૈયાવચ્ચમાં પધરાવી દીધી છે અને પહેલાં સાધુઓ જે ચકાસણી કરતા હતા, તે સત્તાવાર માર્ગ ખુલ્લો થવાથી કરશે પણ નહીં.
વાસ્તવમાં તો પૂર્વનિર્દિષ્ટ દોષના નિવારણની વિચારણા અને નિવારણનું નક્કર આયોજન કરવાની જરૂર હતી. એના બદલે શાસ્ત્રો અને પરંપરાને બાજુ ઉપર મૂકીને આખી દ્રવ્યવ્યવસ્થા જ બદલી નાખવાનું કામ કર્યું છે. તે કોઈપણ રીતે માન્ય ન બની શકે અને શાસ્ત્રનિરપેક્ષ ઠરાવને સિદ્ધ કરવા લેખકશ્રીએ જે જહેમત ઉઠાવી છે, તેના કરતાં શાસ્ત્ર-પરંપરાને વફાદાર રહીને બીજી વિચારણા કરી હોત તો દેવદ્રવ્ય બનતા ગુરુદ્રવ્યની રકમ ઉપર નજર બગાડવી ન પડત અને વિરોધો પણ સહન ન કરવા પડતા તથા સરળતાથી માર્ગ મળી જાત.
- મુદ્દા નં. - પ :
પૂર્વોક્ત વિચારણાથી તે પુસ્તકના “ગુરુદ્રવ્ય ઉપર વિચાર’ નામના પરિશિષ્ટ-રમાં લખાયેલી વાતોની પણ સમાલોચના થઈ જ જાય છે. તેથી તેના માટે બીજું કશું લખવાનું રહેતું નથી. તેમાં માત્રદ્રવ્યસપ્તતિકાકારશ્રીએ ગુરુપૂજાના દ્રવ્યને ગૌરવા સ્થાને યોજવાનું જે વિધાન કર્યું છે, તેમાં ગૌરવાહ સ્થાનની વિચારણામાં જે અસંગત વાતો લખી છે તે. જોઈશું. ત્યાં પૃ. ૧૪૭ ઉપર લખ્યું છે કે -
“(૧) ગૌરવાર્ષિસ્થાને યોwવ્યમ્' આવા કથનમાં રહેલા ગૌરવ શબ્દનો વિચાર