________________
પરંપરાથી વિરુદ્ધ વાતોની વિસ્તૃત સમાલોચના “તૃપ્તિ-જિજ્ઞાસા'
વિભાગમાં કરવામાં આવી હતી. (C) પૂ.આ.ભ.શ્રી વિ. સોમચંદ્રસૂરિજી મ.સાહેબે પણ “સીમિત શ્રમણ
સંમેલનની અશાસ્ત્રીયતા” નામની પુસ્તિકા લખી હતી અને એ
મુંબઈથી પ્રકાશિત થઈ હતી. (D) તદુપરાંત, નીચેના પુસ્તકો પણ તે તે સમયે પ્રકાશિત થયા હતા. (i) “સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી” લેખક :- પૂ.આ.ભ.શ્રી વિ.
જિનેન્દ્રસૂ. મ.સા. “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે.” લેખક - પૂ.આ.ભ.શ્રી વિ. કનકચંદ્રસૂ.
મ.સા.
ધાર્મિક વહીવટ વિચારની અશાસ્ત્રીયતા” લેખક - પૂ.આ.ભ.શ્રી વિ.ચંદ્રગુપ્તસૂ. મ.સા.
દેવદ્રવ્યાદિ વ્યવસ્થાવિચાર” (હિન્દી) લે. પૂ.આ.ભ.શ્રી.વિ.
વિચક્ષણસૂ. મ.સા. (v) દેવદ્રવ્યઃ શાસ્ત્રીય અને વ્યવહારિક પરિભાષા. લેખક- પૂ.આ.ભ.
શ્રી.વિ.જયદર્શનસ્ મ.સા. (vi) ધાર્મિક વહીવટ વિચારના અશાસ્ત્રીય વિચારોની વિચારણા” લેખકઃ
પૂ.મુનિશ્રી યોગતિલક વિ.મ.સા. (vi) ધાર્મિક વહીવટ વિચારના વિચારો અંગે સત્ય જાણવું છે! તો અવશ્ય
વાંચો. પ્રકાશક: ધર્મદ્રવ્ય રક્ષા સમિતિ, ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન. આ રીતે અલગ-અલગ સાહિત્ય પ્રગટ થયું હતું અને ધાર્મિક વહીવટ
વિચાર’ પુસ્તકના ખોટા વિચારોની સમીક્ષા થઈ હતી. (E) તદુપરાંત, પૂ.સાગરજી મ.સા.ના સમુદાય તરફથી પણદેવદ્રવ્યાદિ ધર્મદ્રવ્ય
વિષયક માર્ગદર્શન આપતા અને સંમેલનનાદેવદ્રવ્યાદિ વિષયકઠરાવોના વિરુદ્ધમાં પુસ્તક પ્રગટ થયા હતા.