________________
૨૭૪
બે ય વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.’
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
સમાલોચનાઃ
(૧) પૂર્વોક્ત લખાણમાં લેખકશ્રીએ ગુરુદ્રવ્યના વિનિયોગ અંગેની પરંપરા જણાવતાં પોતાના ગુરુદેવની અને ગુરુદેવના સમુદાયની, પૂ. સાગરમ.ના સમુદાય આદિ સમુદાયોની અને સં. ૨૦૪૪ પૂર્વે ખુદ પોતાની શું માન્યતા-પરંપરા હતી, તે જણાવવાને બદલે ‘પૂંછણા’ની વાત ઉપસ્થિત કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ કરી છે.
(૨) અહીં લેખકશ્રીએ ગુરુની અંગ અને અગ્રપૂજા તથા ગુરુની સન્મુખ થતા મૂંછણા - આ બે ક્રિયા વચ્ચેનો જે તફાવત છે અને એના વિનિયોગ માટેની જે અલગ-અલગ શાસ્ત્રાજ્ઞા છે, તે જણાવવાની જરૂર હતી. તે લેખકશ્રીએ જણાવી નથી. તેમાં તેમનો ઇરાદો સ્પષ્ટ છે. જો એ વાત શાસ્ત્રાધારે રજું કરે તો ઉપરના ફકરામાં કરેલી તેમની રજૂઆત નિરાધાર સિદ્ધ થાય તેમ છે.
(૩) ગુરુપૂજન અને પૂંછણાની ક્રિયા અલગ છે અને બંનેનું દ્રવ્ય પણ અલગ છે. ગુરુપૂજનની વાત આગળ કરી છે. પૂંછણા માટે દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં નીચે મુજબ જણાવેલ છે -
“થવું ગુરુ-ચૂછનાઽવિ સાધારળ તં સ્વાત્, તત્ત્વ શ્રાવળश्राविकाणामर्पणे युक्तिरेव न दृश्यते । शालादिकार्ये तु तद् व्यापार्यते શ્રાદ્ધ વૃત્તિ ।''
અર્થ : (હાલના વ્યવહારે તો) ગુરુ મહારાજના પૂંછણા વગેરેનું જે કાંઈ સાધારણ દ્રવ્ય હોય, તે શ્રાવક-શ્રાવિકાને આપવામાં કોઈ યુક્તિ દેખાતી નથી. પરંતુ પૌષધશાળા (ઉપાશ્રય) વગેરે કામમાં તો તે (સાધારણ દ્રવ્ય) શ્રાવકો વાપરી શકે છે.
→ દ્રવ્યસપ્તતિકાના અનુવાદકારે પૃ. ૪૭ ઉપર ટિપ્પણી-૨૫’માં ‘પૂંછણા’નો અર્થ કરતાં લખ્યું છે કે, “ગુરુની સન્મુખ ઉભા રહીને તેમની