________________
પ્રકરણ - ૮ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૬૫ પદથી ગ્રંથકાર શું ગ્રહણ કરવા માંગે છે? અને ટીકામાં “વસ્ત્રાદિ પ્રદાનપૂર્વમ્' પદમાં આદિ પદથી શું ગ્રહણ કરવા માંગે છે?
ઉત્તર : શ્રાદ્ધજીતકલ્પની મૂળ ગાથામાં “જલન્નાઈ સુ' પદના આદિ પદથી ગ્રંથકારે “વસ્ત્રાદિ' અને કનકાદિનું ગ્રહણ કરેલ છે, પરંતુ ટીકામાં વસ્ત્ર સાથે જોડાયેલ આદિ પદથી કનકાદિનું ગ્રહણ કરવાનું નથી, ત્યાં પાત્ર વગેરેનું ગ્રહણ કરવાનું છે. મૂળ ગાથામાં “જલનાઈસુ પદાન્તર્ગત આદિ પદથી વસ્ત્રાદિથી ભિન્ન તરીકે કનકાદિનું ટીકાકારે ગ્રહણ કર્યું છે, કારણ કે, વસ્ત્રાદિ ભોગા ગુરુદ્રવ્ય છે, કનકાદિ પૂજાઈ ગુરુદ્રવ્ય છે અને તે ઉભયના પ્રાયશ્ચિત્ત જુદાં જુદાં દર્શાવ્યા છે. પ્રસ્તુત ગાથાની ટીકામાં “અયમર્થઃ'થી જે જણાવેલ છે, તેમાં ગુરુદ્રવ્યના બે પ્રકાર: ભોગાર્ડ અને પૂજાઈ : એ અંગે પ્રાયશ્ચિત્ત વિશેષ જણાવે છે, તેમાં “વસ્ત્રાદિ પ્રદાનપૂર્વભૂમાં વસ્ત્ર સાથે જોડાયેલ “આદિ પદથી કનકાદિ લેવાના નથી. કનકાદિનું ઉપલક્ષણથી ગ્રહણ કરવાનું છે. આથી સ્પષ્ટ થાય છે કે, પ્રાયશ્ચિત્ત રૂપે ભોગાર્ટ વસ્ત્રાદિનું કે તેની કિંમતની રકમનું પ્રત્યર્પણ સાધુ વૈયાવચ્ચ (વૈદ્યાદિ રૂપ) માટે કરવાનું વિધાન છે અને ઉપલક્ષણથી સુવર્ણાદિ પૂજા ગુરુદ્રવ્યનો ઉપભોગ થયો હોય તો તેના પ્રાયશ્ચિત્ત રૂપે તપ કરવા પૂર્વક તેનું પ્રત્યર્પણ તે દ્રવ્ય જયાં જવા યોગ્ય હોય ત્યાં કરવું જોઈએ. આ પ્રમાણે જ અહીં અર્થ ઘટિત થાય છે. જો આમ ન માનતાં તે દ્રવ્ય પણ ગુરુ વૈયાવચ્ચમાં લેવું એવો અર્થ તારવવામાં આવે, તો શ્રી દ્રવ્યસપ્તતિકા તથા શ્રી ધર્મસંગ્રહના વિધાનો બાધિત થવાની આપત્તિ આવે છે.
પ્રશ્નઃ શ્રી ધર્મસંગ્રહ તથા શ્રી દ્રવ્યસપ્તતિકાના વિધાનો શું છે? અને તે વિધાનો બાધિત કઈ રીતે થાય છે?
ઉત્તર : શ્રી ધર્મસંગ્રહમાં સુવર્ણાદિ ગુરુદ્રવ્યને પૂજાઈ જ જણાવ્યું છે પણ ભોગાહે જણાવ્યું નથી. તેથી તેનો બાહ્ય પરિભોગમાં પણ ઉપયોગ કરવાનો નિર્ણય કરવાથી તે વિધાન બાધિત થાય છે. તેમજ શ્રી દ્રવ્ય