________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
→ અહીં અગત્યનો ખુલાસો કરી લઈએ કે, કાશીવાળા પૂ.મુ. શ્રીધર્મવિજયજીએ “બોલીઓ અશાસ્રીય છે,” આવો વિવાદ ઊભો કર્યો હતો, ત્યારે પૂ.આ.ભ.શ્રી.વિ. કમલસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી પૂ.મુનિ શ્રીરામવિજયજી મહારાજે તેના પ્રતિકાર માટે ‘વિચારસમીક્ષા’ પુસ્તક લખ્યું હતું. તેમાં વર્ણવાયેલી પૃ. ૧૨-૧૩ ઉ૫૨ની વિગત અહીં પણ ઉલ્લેખનીય છે, તે નીચે મુજબ છે -
૨૫૪
“લખતાં દિલગીરી થાય છે કે - શ્રીમાન્ ધર્મવિજયજીના પ્રશિષ્ય શ્રીયુત ચરમેન્દ્રવિજયજી કે જેઓ પ્રાયઃ શ્રીમાન્ ધર્મવિજયજીની સાથે જ બિરાજમાન છે, તેઓ કુમારપાળ પ્રબંધના પાઠને કથાવાદ તરીકે ગણી આરતી પૂજા વગેરેની બોલીઓને અશાસ્ત્રીય કહેવા માગે છે. પરંતુ શ્રીસંઘે એટલું ખાસ લક્ષમાં રાખવું કે - “જે કથાવાદની વિરુદ્ધમાં વિધિવાદ ન હોય તે કથાવાદને વિધિવાદ તરીકે જ કહી શકાય.” વિધિવાદ તે કથાવાદના વિરુદ્ધમાં નથી એટલું જ નહિ, બલ્કે શ્રાદ્ધવિધિનો પાઠ તેની તરફેણમાં જ છે.”
→ ધા.વ.વિ.’ના વિધાનો અને વિચાર સમીક્ષા'ના વિધાનોની તુલના વાચકો સ્વયં કરે. અહીં એટલું જ કહેવાનું છે કે,
“જે પ્રવૃત્તિઓ (આચરણાઓ) સુવિહિત મહાપુરુષોએ પ્રવર્તાવેલી હોય, કોઈ ભવભીરુ-સંવિગ્ન-ગીતાર્થ મહાપુરુષે એનો વિરોધ ન કરેલો હોય, શાસ્ત્રથી વિરુદ્ધ ન હોય બલ્કે શાસ્ત્રની સીધી કે આડકતરી સંમતિ મળતી હોય, એ પ્રવૃત્તિઓ અસ્ખલિતપણે પ્રવર્તેલી હોય, ત્યારે એ પ્રવૃત્તિઓ સુવિહિત જ ગણાય છે તથા જે કથાવાદની (એવી પ્રવૃત્તિઓના ઉદાહરણોને જણાવતી ગ્રંથગત વાતોની) વિરુદ્ધમાં વિધિવાદ ન હોય તે કથાવાદને વિધિવાદ તરીકે જ કહી શકાય છે.’’
--
– પ્રસ્તુતમાં પણ ગુરુપૂજનની પ્રવૃત્તિ થયાના શાસ્ત્રમાં ઉદાહરણો મળે છે અને આચારાંગ સૂત્ર (આગમગ્રંથ)માં ગુરુપૂજનની વાત આવે જ છે. તેથી એ સુવિહિત આચરણા જ છે અને ગુરુપૂજનના દ્રવ્યના