SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા એમ પ્રશ્નોત્તરસમુચ્ચય, આચારપ્રદીપ, આચારદિનકર અને શ્રાદ્ધવિધિ, વગેરે ગ્રંથોને અનુસારે શ્રી જિનેશ્વર ભગવાનની અંગ અને અગ્ર પૂજાની પેઠે, શ્રી ગુરુમહારાજની પણ અંગપૂજા અને અગ્રપૂજા સિદ્ધ થાય છે. ૨૫૦ ૐ અને તે (ગુરુ મહારાજની અંગ અને અગ્રપૂજા)ના દ્રવ્યનો ઉપયોગ પૂજા॰ સંબંધે કરીને ગૌરવ યોગ્ય ઊંચા સ્થાનમાં કરવો. પરંતુ જિનેશ્વર ભગવંતની અંગપૂજામાં ન કરવો. ટિપ્પણી : (A) પૂર્વોક્ત શાસ્ત્રપાઠ મુજબ ઘણા બધા ગ્રંથો પણ ગુરુપૂજાને વિહિત જણાવે છે અને ગુરુપૂજાના દ્રવ્યને જીર્ણોદ્વાર અને નૂતન ચૈત્યના નિર્માણાદિમાં ઉપયોગ કરવા જણાવે છે. (B) ‘આદિ’ પદનો વિમર્શ : પ્રશ્ન: દ્રવ્યસપ્તતિકાના “સ્વતિ તુ ગુરુદ્રવ્યમ્ નીર્ણોદ્વારે નવ્યચૈત્યરળાવો આ વ્યાપાર્યમ્'' - આ વિધાનમાં ગુરુદ્રવ્યના વિનિયોગ માટે જીર્ણોદ્વાર અને નવ્ય ચૈત્યનિર્માણ આદિ ક્ષેત્રો જણાવ્યા, તો તેમાં ‘આદિ’ પદથી કયા ક્ષેત્રો લેવાના ? તેનો જવાબ આપશો ! ઉત્તર ઃ (૧) પૂર્વોક્ત પાઠમાં નિર્દિષ્ટ ‘આદિ’ પદથી દેરાસરના સિંહાસનત્રિગડુંભંડાર બનાવવા વગેરેમાં ઉપયોગ કરાય, એમ સમજવાનું છે. પરંતુ વૈયાવચ્ચમાં નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, કંદોઈની દુકાને ‘પેંડા, બરફી વગેરે મળશે’ એવું લખ્યું હોય અને કોઈ વ્યક્તિ વગેરે શબ્દ વાંચીને ત્યાંથી કાપડનો તાકો લેવા જાય તો મૂર્ખમાં ખપે છે. કારણ કે, ત્યાં નિર્દિષ્ટ ‘વગેરે’ તે ૧. બહુમાનનો ભંગ થવાના ભયથી.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy