________________
૨૩૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
જીર્ણોદ્ધાર અને નૂતનચૈત્ય નિર્માણાદિમાં થાય છે.
(૯/૧) ગુરુપૂજનની રકમ-ગુરુપૂજનની ઉછામણીની રકમ દ્રવ્યસઋતિકાના આધારે જીર્ણોદ્વારાદિમાં જ જાય. પરંતુ શાસ્ત્ર અને પરંપરા અનુસારે વૈયાવચ્ચમાં જાય નહીં.
(૧૦) ગુરુના મૃતકના અગ્નિસંસ્કાર સંબંધી ઉછામણીની રકમનો સદુપયોગ શાસ્ત્ર અને પરંપરા મુજબ (૧) તેઓના સ્મારકમાં (૨) તેઓના સંયમજીવનના અનુમોદનાર્થે ઉજવાતા જિનભક્તિ મહોત્સવમાં (પ્રભાવના-સાધર્મિકભક્તિસિવાય) અને (૩) જીર્ણોદ્વારમાં થાય છે.
(૧૦/૧) શાસ્ત્ર અને પરંપરા મુજબ ગુરુના મૃતકના અગ્નિસંસ્કાર સંબંધી ઉછામણીની આવક જીવદયામાં ક્યારેય ન જઈ શકે. કારણ કે, એ રકમ સાતક્ષેત્રની અંતર્ગત આવે છે અને જીવદયા ક્ષેત્ર સાતક્ષેત્રની બહાર છે. તથા સાતક્ષેત્રનું દ્રવ્ય તેની બહારના ક્ષેત્રમાં લઈ જવાની શાસ્ત્રાજ્ઞા નથી.