________________
૨ ૧૭.
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા ખુલ્લો મૂકવાનો છે,” તે હેજે સમજી શકાય છે.
(૨) સ્વપ્નાદિકની ઉછામણીની રકમો પૂજાદેવદ્રવ્ય નથી, પરંતુ શુદ્ધ દેવદ્રવ્ય છે, એમ શાસ્ત્રાનુસારી પરંપરા સ્પષ્ટ શબ્દોમાં કહે છે. તેથી ઉછામણીની રકમોને પૂજાદેવદ્રવ્યમાં સમાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી, કે જેથી “આ નિર્ણય કોણ કરશે?” આવો પ્રશ્ન ઉભો થાય !
(૩) શ્રીસંઘોમાં પૂજાદેવદ્રવ્ય અને ઉછામણીથી પ્રાપ્ત રકમ સ્વરૂપ શુદ્ધદેવદ્રવ્ય - આ બંને ભિન્ન દ્રવ્યમાં “દેવદ્રવ્ય” શબ્દ માત્રથી ગરબડ ઉભી ન થાય, તે માટે ગીતાર્થોની સલાહથી “પૂજાદેવદ્રવ્ય” ને “જિનભક્તિ સાધારણ” નામાભિધાન કરીને બંનેને સ્પષ્ટ રીતે અલગ રાખવાની પદ્ધતિ પ્રવર્તમાન છે અને અલગ-અલગ ક્ષેત્રોમાં વિનિયોગ કરવાનું પણ ચાલું જ છે. કોઈક સ્થળે સંચાલકોના અનાભોગાદિના કારણે ઉલટા સુલટી થઈ જાય તો ગીતાર્થો એમાં સુધારો કરાવી લેતા હોય છે. વર્ષો પૂર્વે અનેક ગામડાઓમાં અમુક પૂ.મહાપુરુષોએ ચોપડા ચોખ્ખા કરાવ્યાનું જાણવા પણ મળે છે. એ મહાપુરુષોમાં અત્યારના સાધુઓના પૂ.વડીલો જ હતા. એ યાદ રાખવાની જરૂર છે. એ મહાપુરુષોએ શુદ્ધદેવદ્રવ્યને જિનભક્તિ કે દેવકા સાધારણમાં પધરાવવાની સગવડ કરી આપીને શ્રીસંઘોની સેવા નહોતી કરી ! સુશેષ કિ બહુના.
(૪) “સ્વખાદિકની ઉછામણી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રયોજાયેલી છે” આવા શાસ્ત્રવચનો અને “આજ સુધી સ્વપ્નાદિકની ઉછામણીની રકમનો વિનિયોગ જિનાલયના જીર્ણોદ્ધારાદિમાં થયેલો છે.” આવી પરંપરા છે. આવી શાસ્ત્ર + પરંપરાથી સિદ્ધ પ્રણાલિકા સાક્ષાત્ મોજૂદ હોય, ત્યાં સ્વપ્નાદિકની ઉછામણીની રકમ પૂજાદેવદ્રવ્યમાં ગણવી કે કલ્પિત દેવદ્રવ્યમાં ગણવી? આવો પ્રશ્ન કરવો એ જ અસ્થાને છે. છતાં પણ લેખકશ્રીએ લોકોને ગેરમાર્ગે દોરવા-મૂંઝવણમાં મૂકવા – પોતાની માન્યતા લોકો ઉપર ઠોકી બેસાડવા માટે એવા પ્રશ્નો જાતે જ ખડા કરે છે અને જવાબમાં યેન કેન પ્રકારે કુતર્કો કરીને અને સંદર્ભહીન વાતો કરીને