________________
૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
-
પ્રકરણ
પૂજારીનો પગા૨, કેસર-સુખડાદિ પૂજાની સામગ્રીથી માંડીને જિનાલયના તમામ કાર્યો થઈ શકે છે. એકવાત યાદ રાખવાની કે, આ કલ્પિત દેવદ્રવ્યમાં સ્વપ્નાદિકની ઉછામણીની રકમનો સમાવેશ ન થાય.
૨૧૫
શ્રીસંઘમાં સ્વપ્નાદિકની ઉછામણીની રકમને પ્રસિદ્ધ-શુદ્ધદેવદ્રવ્ય તરીકે ગણાય છે અને તે જિનાલયના જીર્ણોદ્વારાદિમાં વપરાય છે. પરંતુ દેરાસરના અન્ય કાર્યોમાં નહીં.
-
– આટલો વિવેક કરીને વિભાગીકરણ કરી આપવાની જરૂર હતી. પરંતુ લેખકશ્રી એમ નથી કરી શક્યા. કારણ કે, પહેલેથી કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા ખોટી કરવામાં આવી છે અને ખોટાનો અભિનિવેશ પૂર્વે કહેલી-લખેલી સાચી વાતોને હાલ વચ્ચે લાવવાની ના પાડે છે.
મુદ્દા નં. ૧૦ પેજ નં. ૬૬
ઘણે ઠેકાણે બાર માસનાં કેસરાદિનાં ચડાવા બોલાય છે. આ રકમને પૂજાદ્રવ્ય કહેવું જોઈએ. આ પદ્ધતિ ખૂબ સારી છે.
સમાલોચના : (૧) આ પદ્ધતિ ખૂબ સારી છે, તો તેનો જ પ્રચાર કરવાને બદલે સ્વપ્ન-પ્રતિષ્ઠા-માળ-ઉપધાન માળ આદિની આવકને કલ્પિત દેવદ્રવ્યમાં મૂકવાનું દુઃસાહસ અને તે દ્વારા પૂજા કરવાનું વિકૃત વલણ કેમ લીધું ?
જ
(૨) પૂર્વનિર્દિષ્ટ પદ્ધતિ કેમ સારી છે ? શાસ્રસાપેક્ષ છે માટે જ ને ! વિ.સં. ૨૦૪૪ પૂર્વે તમે પોતે એ જ પદ્ધતિના સમર્થક હતા માટે જ ને ? જો એમ હતું, તો ૨૦૪૪'ના સંમેલનમાં પૂજાની સામગ્રી માટે નવો માર્ગ ખોલવાનું વિકૃત વલણ કેમ અપનાવ્યું ? તે તેમના વતી તેમનો સમુદાય જવાબ આપશે ?
મુદ્દા-નં. ૧૧ (પેજ નં. ૬૬)
‘‘દેવદ્રવ્યનો પગાર લેતા પૂજારી પાસે સાધુ સાધ્વીનું કામ કરાવાય ? ટ્રસ્ટીઓ પોતાનાં શાકભાજી આદિ લાવવાનાં કામ કરાવી શકે ?