________________
25
મારા ઉપર મહાન ઉપકાર કરેલ છે. - મારો એવો કોઈ ક્ષયોપશમ નથી, પરંતુ પૂજ્યોની કૃપાનું જ આ ફળ છે. - પૂજયપાદ તપાગચ્છાધિરાજશ્રીના સામ્રાજયવર્તી તપસ્વી, સાધ્વીવર્યા
શ્રીસુનીતયશાશ્રીજી મ.સા.ના સુશિષ્યા વિદુષી, સાધ્વીવર્યા શ્રી જ્ઞાનદર્શિતાશ્રીજી મહારાજે પૂરશુદ્ધિ આદિ કાર્યમાં ખૂબ સહાયતા કરી છે. તેમની નિઃસ્વાર્થ શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના.
પૂજ્યોની મહતી કૃપા અને સહાયકોની સહાયતાથી નિર્વિદને કાર્ય સંપન્ન થાય છે તેનો આનંદ છે.
સૌ આરાધકો આ પુસ્તકના માધ્યમે શાસ્ત્રાનુસારી પરંપરાને જાણી અને તેનો અમલ કરીને આત્મશ્રેય સાધે એ જ એકની એક શુભાભિલાષા...
લિ. મુ. સંયમકીર્તિવિ. ૭, મહેતા રો હાઉસ, સુરત-૭