________________
૧૯૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૧) શ્રાદ્ધવિધિનો પાઠઃजिणपवयणवुड्किरं पभावगं नाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होई ॥१॥. जिणपवयणवुड्डिकर, पभावगं नाणदंसणगुणाणं । भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होई ॥२॥ द्रव्योत्सर्पणपूर्वकारात्रिकविधानादिना देवद्रव्यवृद्धिः ।
અર્થ - જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા, જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું રક્ષણ કરનારો જીવ પરિમિત સંસારવાળો થાય છે. (૧) જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા, જ્ઞાન-દર્શન-ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું ભક્ષણ કરનારો જીવ અનંતસંસારી થાય છે. (૨)
દ્રવ્ય (ધન)ની ઉછામણી બોલવાપૂર્વક આરતી કરવા આદિ વડે દેવદ્રવ્યની વૃદ્ધિ થાય છે.