________________
પ્રકરણ
૫ ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય
૧૬૧
એમાં સંડોવવાની કોશિષ કરી છે. તેમના સર્વે અઘટિત કૃત્યોને આ પ્રકરણમાં ખુલ્લા કરીશું.
અહીં ઉલ્લેખનીય છે કે, શ્રાવકે દેવના કાર્યમાં વા૫૨વાના સંકલ્પ સાથે અલગ રાખેલું કે સંઘને આપેલું સંકલ્પિત દેવદ્રવ્ય તથા ભગવાનના ભંડારમાં અર્પણ કરેલ અને દેવભક્તિ સ્વરૂપે થયેલી ઉછામણીની રકમ સ્વરૂપ સમર્પિત-અર્પિત દેવદ્રવ્ય : આ બંનેના વહીવટમાં ભેળસેળ ન થાય અર્થાત્ સમર્પિત દેવદ્રવ્ય = શુદ્ધ-પ્રસિદ્ધ દેવદ્રવ્ય અને સંકલ્પિત દેવદ્રવ્ય (કે જે વાસ્તવમાં શ્રાવકોનું સ્વદ્રવ્ય જ છે, તે સંકલ્પિત દેવદ્રવ્ય)ના વહીવટમાં ભેળસેળ ન થઈ જાય અને દેવદ્રવ્યના નામ માત્રથી લોકોમાં ભ્રાન્તિ ઊભી ન થાય એ માટે જ ‘સંકલ્પિત દેવદ્રવ્ય’ને જ ‘જિનભક્તિ સાધારણ’ કે ‘દેવકું સાધારણ’ એવું નામ ગીતાર્થ પુરુષોએ આપ્યું છે. એટલે વાસ્તવમાં એ સાધારણનું જ ફંડ છે. છતાં પણ દેવના જ કાર્યમાં વા૫૨વાના અને તે સિવાયના કાર્યમાં ન વાપરવાના સંકલ્પવાળું હોવાથી સંકલ્પિત દેવદ્રવ્ય પણ કહેવાય છે. દ્રવ્યસપ્તતિકા ગ્રંથની અવસૂરિથી આવો ભેદ સિદ્ધ છે જે આપણે પૂર્વે જોયેલ જ છે.
અહીં બીજી એક વાત ખાસ નોંધનીય છે કે, શ્રાવકની જિનપૂજાની વિધિ દર્શાવતા શ્રાદ્ધવિધિ-દ્રવ્યસપ્તતિકા-શ્રાદ્ધદિનકૃત્ય-પંચાશકપ્રકરણષોડશક પ્રકરણ-લલિત વિસ્તરા વગેરે ગ્રંથોની ઋદ્ધિમાન-મધ્યમ અને નિર્ધન શ્રાવક માટેની પૂજાવિધિ માટેના નિર્દેશોનું ઉલ્લંઘન કરીને પૂર્વનિર્દિષ્ટ પાઠોનો વિચારવિમર્શ ક્યારેય ન થઈ શકે. એ નિર્દેશને અનુકૂળ જ વિચારણા કરી શકાય. તદુપરાંત, માત્ર પરસ્પર વિચારણા રૂપે થયેલા પત્રવ્યવહારોને નિર્ણયરૂપે ચારેય મૂકી શકાય નહીં. સંઘ કે વ્યક્તિને માર્ગદર્શનરૂપે લખાયેલા પત્રોની જરૂરથી નિર્ણય લેતી વખતે નોંધ લઈ શકાય છે.
→ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાએ “સ્વપ્નદ્રવ્યને દેવદ્રવ્ય ગણવું કે સાધારણ દ્રવ્ય ગણવું ? તથા સ્વપ્નદ્રવ્યની અમુક ટકા રકમ સાધારણમાં