SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ગણી હતી અને પછીની આવૃત્તિઓમાં ભંડારની આવકનો ક્યાંયે ઉલ્લેખ નથી? આવું શા માટે ? (લેખક તો હાલ નથી. પણ પરિમાર્જકશ્રીઓ છે. તેમણે આ જવાબ આપવો જોઈએ.) (૨૨) ષોડશકજી ગ્રંથમાં ધર્માનુષ્ઠાન કાળે શ્રાવકને સ્વદ્રવ્યમાં પરદ્રવ્ય જોડવાની ના પાડી છે અને કોઈપણ કારણસર જોડાયેલું હોય તો તેની બીજા સમક્ષ યોગ્ય જાહેરાત કરવાનું કહ્યું છે - તે શા માટે? (૨૩) ગ્રંથોમાં ન્યાયવિધિશુદ્ધતા પૂર્વકની પૂજા અને વિભવાનુસારી પૂજા જણાવતાં ગ્રંથકારોએ શાનો શાનો વ્યવચ્છેદ કર્યો છે? (૨૪) “વદે દેવપૂજ્ઞાડપિ વચ્ચેવ યથાશક્તિ ર્યો ” આ શ્રાદ્ધવિધિનું વિધાન ગૃહમંદિરવાળા શ્રાવક માટે છે, તેવું કયા આધારે કહો છો? (૨૫) ૨૦૪૪' પૂર્વે તમે “સ્વદ્રવ્યથી જ જિનપૂજા” આવું તમામ શ્રાવકોને ઉદ્દેશીને ઉપદેશ આપતા હતા, તે કોના આધારે આપતા હતા? અને એમાં સૂચિત જ કારથી કોનો વ્યવચ્છેદ કરતા હતા? ધા.વ.વિચારના લેખકશ્રીએ તો પોતાના પુસ્તકમાં પરદ્રવ્ય અને દેવદ્રવ્યની બાદબાકી કરી “સ્વદ્રવ્યથી જ જિનપૂજા'ની વિધિ બતાવી છે, તે તમને માન્ય છે કે નહીં? જિનપૂજા અંગે ઊભા કરેલા પ્રશ્નોના સમાધાન અને મોટાભાગના કુતર્કોની સમાલોચના કરીને અહીં આ પ્રકરણની હવે પૂર્ણાહુતિ કરીશું. ૦ સાધારણ દ્રવ્ય પણ ગમે તેમ વાપરવાનું નથીઃ શાસ્ત્રોમાં સાધારણ દ્રવ્યને વાપરવાની પણ એક ચોક્કસ મર્યાદા બતાવી છે. શ્રાદ્ધવિધિ અને સંવેગરંગશાળા ગ્રંથમાં તે અંગે નીચે મુજબની વ્યવસ્થા બતાવવામાં આવી છે. (૧) શ્રાદ્ધવિધિનો પાઠ - साधारणमपि द्रव्यं सङ्घदत्तमेव कल्पते व्यापारयितुं न त्वन्यथा ।
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy