________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૫૫ રાખે-ભોગમાં વાપરે, તો દેવદ્રવ્યનો ખોટો ઉપયોગ કરવાનો
દોષ લાગે કે નહીં? (૧૩) ધાર્મિક વહીવટ વિચાર'ના લેખકશ્રીએ પોતાના “આંધી આવી
રહી છે” પુસ્તકમાં “તે વખતે દેવદ્રવ્યોમાંથી પૂજારીના પગાર વગેરે ચાલું થઈ જશે. ધર્માદાનું મફત વાપરનારો આ રીતે અંતે તો દેવદ્રવ્યના ભક્ષણનો જ ભાગી બનશે” - આવી જે દેવદ્રવ્યના ભક્ષણની આપત્તિ બતાવી છે, તે ક્યા એંગલથી બતાવી છે?
તેમની એ વાત શાસ્ત્રસાપેક્ષ છે કે શાસ્ત્રનિરપેક્ષ? (૧૪) સ્વપ્નાદિકની ઉછામણીની રકમને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું
કયા શાસ્ત્રમાં લખ્યું છે? શાસ્ત્રપાઠ આપશો ? (૧૫) સ્વપ્નાદિકની ઉછામણી શાસ્ત્રીય છે કે અશાસ્ત્રીય? (૧૬) સ્વપ્નાદિકની ઉછામણી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રયોજાયેલી છે કે
સંઘમાં થતા કુસંપને નિવારવા માટે કે જિનાલયના જિનપૂજાની સામગ્રી આદિ કાર્યોના નિર્વાહ માટે પ્રયોજાયેલી છે? તેમાં શાસ્ત્ર
અને સુવિહિત પરંપરા શું કહે છે? (૧૭) “વિચાર સમીક્ષા” અને “વિજય પ્રસ્થાન” પુસ્તકમાં નોંધાયેલા
વિધાનો (૧૯૭૬'ના સંમેલનનો બીજો ઠરાવ) સં. ૨૦૪૪ પછી
જ કેમ યાદ આવ્યા? (૧૮) “શક્તિસંપન શ્રાવક ભાવના સંપન ન હોય તો દેવદ્રવ્યથી પૂજા
કરી શકે?” - આવો શાસ્ત્રપાઠ તમારી પાસે છે? (૧૯) સ્વદ્રવ્ય બચાવીને દેવદ્રવ્યથી પૂજા જેવું ઉત્તમ કાર્ય પતાવવાની
વૃત્તિવાળાને અવજ્ઞા-અનાદર આદિ દોષો લાગે કે નહીં? (૨૦) પ્રભુસમક્ષ મૂકેલા ભંડારમાં મૂકાયેલા પૈસા વગેરેને તમે કયા
પ્રકારના દેવદ્રવ્યમાં ગણો છો? (૨૧) ધા.વ.વિ.ની પ્રથમ આવૃત્તિમાં ભંડારની આવક પૂજા દેવદ્રવ્યમાં