________________
૧૪૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા જિનપૂજાનો નિષેધ કરે છે અને સ્વદ્રવ્યથી જ જિનપૂજાનું વિધાન કરે છે. અહીં ‘વ’ કારને વ્યવચ્છેદક માનવાનું પ્રબળ કારણ પણ છે. તે કારણ એ છે કે, શાસ્ત્રમાં ક્યાંયે પણ પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન નથી અને પરંપરા પણ એની ના પાડે છે. “જિનપૂજા શ્રાવકનું સ્વકર્તવ્ય છે અને સ્વકર્તવ્ય સ્વદ્રવ્યથી જ કરવાનું છે. તથા પરિગ્રહની મૂર્છા મારવા અને સમ્યગ્દર્શનની નિર્મલતા પ્રાપ્ત કરવા જિનપૂજાનું વિધાન છે. આવી જિનપૂજા સ્વદ્રવ્યથી કરવામાં આવે તો જ તેનો ઉદ્દેશ સધાય છે. પદ્રવ્યથી કે દેવદ્રવ્યથી કરવામાં આવે તો તે ઉદ્દેશ તો સધાતો જ નથી. પરંતુ દોષના ભાગી બનાય છે.” આથી શ્રાદ્ધવિધિના પાઠમાંનો ‘ાવ'કાર સ્વદ્રવ્યથી જ જિનપૂજાનું વિધાન કરે છે અને પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી થતી જિનપૂજાનો વ્યવચ્છેદ કરે છે.
(૩) અહીં એ નોંધવું જરૂરી છે કે, આ.શ્રી. અભયશેખરસૂરિ મ. પોતાની દેવદ્રવ્ય અને જિનપૂજા' પુસ્તકના પૃ. ૫ ઉપર પ્રશ્નના ઉત્તરમાં શ્રાદ્ધવિધિના પૂર્વનિર્દિષ્ટ “વદે વપૂગાપિ વચ્ચેવ યથાશક્સિ વાર્યા વાળા આ પાઠના સંદર્ભમાં કહે છે કે,
“સામો પક્ષ આટલા પાઠને ખૂબ પ્રચારે છે એટલે મુગ્ધલોકોને ભ્રમણા ઊભી થાય ખરી, પણ સુજ્ઞજનોએ સામાપક્ષને પૂછવું જોઈએ કે આ પાઠ જેમાં આવે છે એ આખો અધિકાર તો નહીં, પણ એ આખું વાય તમે કેમ જાહેર કરતા નથી? ને એક આખા વાકયનો એક અંશ જ કેમ લોકો આગળ ધર્યા કરો છો? xxx
ટિપ્પણીઃ (૧) આચાર્યશ્રીની પૂર્વોક્ત નોંધ અસત્ય છે. “સામો પક્ષ મુગ્ધલોકોમાં ભ્રમણા ઊભો નથી કરતો, પરંતુ તમે પોતે અને “ધાર્મિક વહીવટ વિચાર”ના લેખકશ્રી બંને જે પાઠનો અધિકાર સમસ્ત શ્રાવકગણ માટે છે, તે પાઠને માત્ર ગૃહમંદિરવાળામાં મર્યાદિત કરીને ભદ્રિક જીવોને ગેરમાર્ગે દોરવાનું કામ કરો છે.