________________
14
વગેરે સ્વરૂપે ઓળખશું. જ્યારે ઉપદેશપદાદિ શાસ્ત્રકારોની પરિભાષામાં આ જ દ્રવ્યને ચૈત્યદ્રવ્ય કે દેવદ્રવ્ય તરીકે સંબોધવામાં આવે, છતાં પણ તેમાંથી સમગ્ર જિનાલયનો ખર્ચ કાઢી શકાય તેવું દ્રવ્ય કહેવાય. પણ એજિનાલયમાં ભગવાનની સન્મુખ રાખેલ ભંડારમાં આવેલ દેવદ્રવ્યથી દેરાસર ન ચલાવાય.
આપણે ત્યાં તો એકલા વિધવા ડોશી પણ પોતાની પાછળ પોતે જે ઘરમાં રહે છે તેની વ્યવસ્થા પણ ખૂબ જ સારી કરીને જતા, પોતાના મર્યા બાદ પોતાનું એ ઘર અને રકમ કયાં તો દેરાસરની ભક્તિ માટે, કયાં તો ઉપાશ્રય તરીકે, જ્યાં તો સંઘના ધાર્મિક ઉપયોગ માટે ભેટ આપી જતા. તેમની ભાવના મુજબ તે ઘરાદિ દેરાસર, સાધારણ, ઉપાશ્રય કે સંઘના ધાર્મિક ખાતે શ્રી સંઘ વાપરતો. શાસ્ત્રમાં પણ આવે છે કે ચંડપ્રદ્યોત રાજાએ વિદ્યુમ્માલી દેવે ભરાવેલી શ્રી જીવિત (મહાવીર)સ્વામીની પ્રતિમા માટે બાર હજાર ગામોની આવક ભેટ આપી હતી અને વીતભય નગરમાં રહેલી પ્રતિમાની ભક્તિ માટે દશપુરનગરની આવક ભેટ આપી હતી. આવા તો ઇતિહાસમાં અનેક દૃષ્ટાંતો મળે છે. આવી આવક માટે વપરાયેલ ચૈત્યદ્રવ્ય અને દેવદ્રવ્ય શબ્દ તથા તેનો પૂજા-આંગી-રથયાત્રા-મહાપૂજા-મહોત્સવમાં ખર્ચ કરી શકવાનો ઉપયોગ શાસ્ત્રકારોએ જણાવ્યો છે, તે સંગત જ છે, પણ આજે જે રીતે દેવદ્રવ્યની કોથળીમાંથી પૂજા-મહોત્સવાદિ કરવાનું વિધાન કરાય છે અને શાસ્ત્રકારોએ પોતે વાપરેલ દેવદ્રવ્ય કે ચૈત્યદ્રવ્યની આવકના સ્રોતોને છૂપાવીને સ્વપ્નાદિ બોલીના દેવદ્રવ્યથી મહોત્સવાદિ કરવાનો ઉપદેશ અપાય છે તે આ શાસ્ત્રકારો, શાસ્ત્રોની ભયંકર આશાતના નથી? અને શ્રી સંઘને ઉન્માર્ગે દોરવાનું મહાપાપ નથી? સર્વ સમુદાયના ગીતાર્થો વિચાર કરે.
તિહિ વળે.વાળા શ્રી શ્રાદ્ધદિનકૃત્ય, શ્રી શ્રાદ્ધવિધિ, શ્રી ધર્મસંગ્રહ, શ્રીદ્રવ્યસપ્તતિકા ગ્રંથના પાઠમાં પણ એ વાત કરતા પહેલાં એક શ્રી પંચકલ્યભાષ્યનો પાઠ આપ્યો છે તે પાઠ આ પ્રમાણે છે –
વોડ-મા, વિહિપ મ ગામવાડુંનત પળો, तिगरणसोही कहं नु भवे ? ॥१॥ भण्णई-इत्थ विभासा, जो एआइ सयं विमग्गेज्जा । तस्स न होइ विसोही, अह कोई हरिज्ज एआई ॥२॥ तत्थ करंतु उवेहं, सा जा भणिआ उ तिगरणविसोही । सा य न होइ अभत्ती, तस्स य