SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સામગ્રી ભેગી કરવા માટેના ચડાવાનો પ્રારંભ કરાવ્યો હતો અને યાદ રહે કે, એ ચડાવાની રકમને જ “જિનભક્તિ સાધારણ” એવું નામ આપવામાં આવેલ છે. એમાં કોઈ શ્રાવકાદિએ “પૂજાની સામગ્રી માટે ભેટરૂપે આવેલું દ્રવ્ય પણ સમાવેશ પામે છે, તે પણ યાદ રાખવું. હવે શ્રાદ્ધવિધિના આધારે શ્રાવક માટેની જિનપૂજાની વિધિ જોઈશું. (D) શ્રાદ્ધવિધિના પાઠોડ (૧) મહર્તિક માટેની પૂજાવિધિઃ विधिश्चायं-यदि राजादिमहद्धिः तदा सव्वाए इड्डीए.... इत्यादि वचनात् प्रभावनानिमित्तं महा देवगृहे याति यथा दशार्णभद्रः [પાથ-૬/ટી] અર્થ : આ વિધિ છે - જો રાજાદિ ઋદ્ધિમાન હોય તો, “સર્વ ઋદ્ધિથી' ઇત્યાદિ શાસ્ત્રવચન મુજબ જૈનશાસનની પ્રભાવના નિમિત્તે મોટી ઋદ્ધિથી જિનમંદિરે જાય. દા.ત. દશાર્ણભદ્રરાજા. (૨) મધ્યમ ઋદ્ધિવાળા શ્રાવકમાટે જિનપૂજાની વિધિઃ एवं महद्धिर्देवगृहे याति । सामान्यविभवस्त्वौद्धत्यपरिहारेण लोकोपहासं परिहरन् यथानुरूपाडम्बरं भ्रातृपुत्रादिपरिवृत्तो व्रजति [T-૬/ટીવI] અર્થ આ રીતે મહદ્ધિક દેવગૃહે જાય. સામાન્ય વૈભવવાળો ઉદ્ધતાઈનો ત્યાગ કરવા પૂર્વક, લોક ઉપહાસને તજતો, પોતાના સંયોગ મુજબ આડમ્બરપૂર્વક ભાઈ-મિત્ર-પુત્રાદિથી પરિવરેલો જિનમંદિરે જાય. (૩) નિધનશ્રાવક માટે વિધિઃ अयं च चैत्यगमनपूजास्नात्रादिविधिः सर्वोऽपि ऋद्धिप्राप्तमाश्रित्योक्तस्तस्यैवैतद्योगसंभवात् । अनृद्धिप्राप्तस्तु श्राद्धः स्वगृहे
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy