SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨૫ મું ૨૫૫ મૂતિ, જેમને મૂર્તિમંત કરે છે, તે શ્રીજિનેશ્વર દેવની પડખે રહેવાનું સૌભાગ્ય આપણને સાંપડે આપણો બેડે પાર થઈ જાય એવું જે આપણે માનતા જ હોઈએ, તે શ્રી જિનેશ્વર દેવ તુલ્ય શ્રીજિન પ્રતિમાના દર્શન પૂજન કરવાનો અવસર આપણને આપણા જીવનને ધન્યતમ અવસર લાગ જ જોઈએ. ઘણા વર્ષોથી વિદેશમાં વસતા પોતાના સ્નેહીંને ફેટો જોઈને, માણસને અકથ્ય આનંદ થાય, તે વાતનો સ્વીકાર કરનારા આપણને મેક્ષનગરમાં જઈ વસેલા શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનાં દર્શન કરતાં, તેના કરતાં પણ ચઢીઆતે આનંદ થ જોઈએ. સમગ્ર સાંસ્કૃતિક પ્રવાહને શુદ્ધ રાખવામાં દેવાલયે જે ભાગ ભજવે છે, તે અજોડ હોય છે. તેથી સર્વ દેશ અને કાળના વિવેકી પુરુષે દેવ-પૂજાનને મહત્ત્વ આપ્યું છે. મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરનારા પૂજક અનીતિ આચરવામાં પાછું વળીને જોતા નથી, એવું કહેનારાઓને જણાવવાનું કે એમાં મંદિર અને ભગવાનનો શે દોષ ? કોઈ માણસ સ્નાન કર્યા પછી પુનઃ ચંદે થાય, તેમાં જે પાણીને દેષ ગણાતે હેય, તે મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરનાર અનીતિ આચરે, તેમાં ભગવાનનો દેષ ગણાય. નહિ નહાવાની વૃત્તિવાળા ગૃહસ્થના દેહ પર મેલના થર જામી જાય છે. પણ તે નહાય છે, તે તેમાં ઘટાડો થાય છે, ભલે પછી તે વિવેક ચૂકીને ગંદે થતો હોય અથવા કુદરતી રીતે પરસેવા આદિથી તેના શરીર પર મેલ જામતે હોય, છતાં એક વાર પણ સ્નાન ક્યને લાભ તેના શરીરને તે મળે જ છે. તે જ રીતે દેવપૂજા નહિ કરનારા કરતાં દેવપૂજા કરનારે અમુક કાળ પૂરતે પણ અમુક પ્રમાણમાં આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરતો હોય છે. તે પછી જે તે વિવેક ચૂકીને નીતિ ચૂકે તે તે અનુમોદનીય ના હોવા છતાં તેણે કરેલી પૂજા ભક્તિની તે અનુમોદના કરવી જ પડે. ધર્મને આરાધક સદંતર ધાર્મિક હેય જ એ એકાન્ત આગ્રહ રાખવાથી સંપૂર્ણ ધર્મમય એવા પરમાત્મા શ્રી જિનેશ્વરદેવ અને સિદ્ધ ભગવંત સિવાય અન્ય મહાત્માઓ પ્રત્યેને પૂજ્યભાવ પણ
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy