SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ .... . . પ્રકરણ ૧૯ મું ૧૮૧ બીજો ભાગ – સમ્યગ દષ્ટિ અને દેશવિરતિ શ્રાવકને છે. કારણ કે શ્રાવકને યોગ્ય દેવપૂજા, સાધુવંદન આદિ કાર્યોમાં, જોવામાં તો તે સાવદ્ય વ્યાપાર માલુમ પડે છે, પણ તેમાં શ્રાવકનાં પરિણામ હિંસાના નહિ હેવાથી, તે સ્વરૂપહિંસા માત્ર છે. ત્રીજો ભાંગો. શ્રી પ્રસન્નચન્દ્ર રાજર્ષિ જેવાને જાણ. અને ચોથે ભાંગ – સર્વ વિરતિ સાધુ સંબંધી છે. દ્રવ્યપૂજા કરવાથી હિંસાનું પાપ લાગવાનું કઈ કારણ નથી. શ્રી ઠાણુગ સૂત્રના પાંચમા સ્થાનમાં, બીજા ઉદ્દેશામાં કર્મબંધનનાં પાંચ દ્વાર કહ્યાં છે, " पंच आसवदारा पन्नता तं जहा() મિત્ત, (૨) વિર, (રૂ) પ્રમાણે, (૪) વાળા (૧) ગોગા ? અર્થ :- પાપ બંધનાં પાંચ કારણે કહ્યાં છે. (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) ગ. હવે પ્રભુપૂજા શાન્ત ચિત્તે સમ્યક્ત્વ સહિત, પ્રમાદરહિત, યથાવિધિ કરવાની હોવાથી, તે વખતે મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ કે કષાય વગેરે ચાર પ્રકારે કર્મ બંધ થવાનું બીલકુલ સંભવે નહિ. પાંચમું “ગ' કારણ કહ્યું છે. શ્રી ભગવતી સૂત્રમાં (૧) શુભ જગ તથા (૨) અશુભ ગઃ એવા બે પ્રકાર ગના કહ્યા છે, શુભ જોગ–એ પુણ્યબંધ તથા અશુભ જેગ એ પાપ બંધનું કારણ છે. શ્રી જિન પૂજામાં કેઈની કોઈ પણ જાતની નિંદા કે અવર્ણ વાદ વગેરે ન હોવાથી, તે અશુભ ગ તે કહેવાય જ નહિ. કેવળ શ્રી જિનેશ્વરદેવની ભક્તિ, ગુણગાન-સ્તુતિ વગેરે હોવાને લીધે. તે શુભ ગ જ કહેવાય અને જેટલે દરજજે તે હશે, તેટલે દરજજે શુભ બંધ પડવાને કારણ વિના કાર્ય નિપજે નહિ, એ ન્યાયે દ્રવ્યપૂજામાં અશુભ બંધના કઈ પણ કારણના અભાવે અશુભ ફળ ન જ હોય, તુર્ક – એમ તે ધર્મ નિમિતે માંસાહાર કરતાં પણ કેઈ શુભ ભાવ રાખે, તે તેને પણ પાપ લાગવું ન જોઈએ. સનમ - ..
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy