SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ * * * મજ - સનમ તનમનનામા , , - - ૧૮૦ પ્રતિમા પૂજન જો આમ ન માનીએ, તે એકેન્દ્રિય છે તે જાણતાં કે અજાણતાં લેશ માત્ર હિંસા કરતા નથી. માટે તેઓને તો સૌથી ઉરચ ગતિની પ્રાપ્તિ થવી જોઈએ. અને જો એમ જ બને, તે પછી ક્રિયા, કષ્ટ, તપ, જપનું શું પ્રયોજન ? માત્ર મુખની ‘દયા-દયા” બોલવાથી દયા ઉત્પન્ન થતી નથી. એ. માટે-“દયા તથા હિંસાનું પરમાર્થ સ્વરૂપ શું છે” – તે સમજવું જોઈએ શાસ્ત્રમાં હિંસા તથા અહિંસા ત્રણ-ત્રણ પ્રકારની કડી છે. તે પ્રકારે નીચે મુજબ છે." 7 હિંસાના ત્રણ પ્રકાર : (૧) હેતુહંસા, (૨) સ્વરૂપહિંસા, (3) અનુબંધહિંસા | અહિંસાના ત્રણ પ્રકાર : (૧) હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા (૩) અનુબંધ અહિંસા. જેમાં જીવની હિંસા થઈ નથી. પણ જીવરક્ષાના પ્રયત્નનો અભાવ છે તેને હેહિસા કહેવાય છે. જેમા જીવરક્ષાનાં પ્રયત્ન હોવા છતાં જીવહિંસા થઈ છે, તેને સરરૂપ હિંસા કહેવાય છે. અને જેમાં જીવની હિંસા પણ છે અને જીવરક્ષાનાં પ્રયત્ન પણ નથી. તેને અનુબંધ હિંસા કહેવાય છે. એજ રીતે અહિંસા માટે પણ સમજી લેવું. શ્રીજિન પૂજાદિ ધર્મ કાર્યમાં સ્વરૂપથી હિંસા છે. પણ હિંસાને ભાવ નહિ હેવાથી, અનુબંધ અહિંસાને પડે છે. - જ્યાં સુધી મન, વચન, કાયાનાં ગેની સંપૂર્ણ સ્થિરતા થઈ નથી. ત્યાં બોલતાં ચાલતાં એમ દરેક કાર્ય કરતાં આરંભ પણ થાય છે અને તેથી અલ્પધિક કમ બંધ પણ થાય છે તે પછી સર્વથા અહિંસા કઈ પણ કાર્યમાં કેવી રીતે હોઈ શકે ? - શ્રી ઠાણાંગ સૂત્રના ચોથે ઠાણે નીચે મુજબ ચતુર્ભગી છે. (૧) સાવદ્ય વ્યાપાર ને સાવદ્ય પરિણામ. (૨) સાવદ્ય વ્યાપાર ને નિરવદ્ય પરિણામ (૩) નિરવદ્ય વ્યાપાર ને સાવદ્ય પરિણામ. (૪) નિરવદ્ય વ્યાપાર ને નિરવદ્ય પરિણામ. તેમાં પહેલે ભાગે મિથ્યાત્વને અનુલક્ષીને છે. નાના - ન :- જ કડક ક *' # s *==
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy