SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ दीक्षा देणे के अधिकारी छे । परंतु जे परंपराय मुंडत अणगार आचार्य उपाध्याय होय ते दीक्षा देणे का अधिकारी छे । परंतु प्रत्येकबुद्धी स्वमेव दीक्षा लेणेवाले मुनि दीक्षा नही देता । साख सूत्र भगवती मध्ये संजया नियंठ्या मध्ये । परंतु तिर्थंकरजी महाराज स्वमेव दीक्षा लेवे छे पण ते महा प्रभाविक पुरुष आप दीक्षा लेकर तिर्थ का साधु नहि होता । तो बीजा कोइ आप दीक्षा लेके तिर्थ का साधु कहावे छे तिसको मिथ्याती जाणवा । इत्यादिक चरचा घणी छे । परंतु कहा लग लिखीए ? बुधीवंत होवेगा सो सिद्धांत देखी आदरेगा । આવશ્યક અવચૂરીમાં મોહપત્તિ હાથમાં કહી છે. ભાષ્યમાં મોહપત્તિ હાથમાં કહી છે. સૂત્રમાં મોહપત્તિ હાથ માં કહી છે. આવશ્યક નિર્યુક્તિમાં મોહપત્તિ હાથમાં કહી છે. ટીકા-ઓઘનિર્યુક્તિની ટીકા શ્રી ગંધહસ્તી આચાર્ય ભ. કરી છે. તેમાં મોહપત્તિ હાથમાં કહી છે તે પ્રમાણ કરો. કોઈક મોહપત્તિ બાંધી વ્યાખ્યાન કરે છે તથા કેટલાક સદા મોઢે બાંધે છે તે કયા સૂત્રમાંથી આ સામાચારી કાઢી છે ? તે બતાવો ! તે બતાવો તો સારી વાત અમે પણ પ્રમાણ કરી લઈશું. જે કોઈ સિદ્ધાંતમાં નહિ કહ્યું તો તમારી મતિકલ્પના છે, તમારી ઈચ્છા છે. જે કોઈ મત કદાગ્રહી ન હોય તે તમારી આ વાતને પ્રમાણ નહિ કરે. આ મુખ બાંધવામાં એકે ય ગુણ નથી પણ અવગુણ અનેક છે. હે ભવ્ય જીવો ! તમે બુઝો ! શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે સ્વલીંગને ત્યજીને અન્ય લીંગ ધારણ કરશે. ત્યારે કોઈ ભોળો જીવ એમ બોલ્યો - અમે કોઈ નવી વાત નથી કરી. ભગવાને કહ્યું છે અન્યલીંગ ધારણ કરશે તે માટે અમે અંગીકાર સ્વીકાર્યું છે. તે આર્ય ! આ તો તે સારી વાત કરી તે તો મેં સાંભળી, પરંતુ આવી તારી શ્રદ્ધા હશે ? અર્થાત્ ન જ હોય. ભગવાને કહ્યું છે - ગુરુના શિષ્ય અવિનીત થશે, ગુરુ શિષ્યને સૂત્ર સારી રીતે ભણાવશે નહિ, સાધુ આરંભી પરિગ્રહી થશે, મતમતાંતરો ઘણા થશે વગેરે ઘણી પાંચમા કાળની વિડંબના કહી છે. ભગવાને તો આ માટે કહ્યું છે કે કોઈ ભવ્ય જીવ વિપરીત સામાચારી તથા શ્રદ્ધા જાણીને મારી આજ્ઞા અંગીકાર કરશે તે સંસાર સમુદ્ર તરશે. જ્યાં સુધી જીવની ભવસ્થિતિનો પરિપાક ન થયો હોય ત્યાં સુધી જીવને ધર્મ સંબંધી વીર્યોલ્લાસ નથી જગતો. જે જીવને જે ગતિમાં જવાનું છે તેને તેવો જ પરાક્રમ જાગે છે આમાં સંદેહ નથી. અભવ્ય અને દુર્ભવ્યને કેવલીએ ઉપદેશેલા ધર્મની સમજ નથી હોતી. જેવા કુલમાં જીવ ઉત્પન્ન થાય છે તે જાત ૪૪ નોહતી વર્ષા
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy