SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ધાતકીખંડમાં-વિજય અને અચલ. ૩ પુષ્કરાર્ધદ્વીપમાં-પુષ્કરાર્ધ અને વિદ્યુન્માલી. પાંચ ઈન્દ્રિયોનો વિષય ૧ સ્પર્શનેન્દ્રિયનો વિષય બાર યોજનનો છે. ૨ રસનેન્દ્રિયનો વિષય અપ્રાપ્યકારી છે. ૩ ઘ્રાણેન્દ્રિયનો વિષય નવ યોજન છે. ૪ ચક્ષુરિન્દ્રિયનો વિષય ૧ લાખ યોજન છે. ૫ શ્રોત્રેન્દ્રિયનો વિષય બાર યોજન છે. તે આ રીતે ૧ સ્પર્શનેન્દ્રિયથી ઠંડી અગર ગરમ હવા લે. ૨. રસનેન્દ્રિયથી લીંબુ આદિને કરવાથી મોઢામાં પાણી આવે. ૩ ઘ્રાણેન્દ્રિયથી વરસાદની સુગંધ આવે. ૪ ચક્ષુરિન્દ્રિયથી વૈક્રિયશરીર એક લાખ જોજનનું હોય તે પણ દેખે. ૫ શ્રોત્રેન્દ્રિયથી વરસાદ ગાજતો સાંભળે. આઠ આત્માનાં નામ ૧ દ્રવ્યાત્મા, ૨ કષાયાત્મા.૩ યોગાત્મા, ૪ ઉપયોગાત્મા, ૫ જ્ઞાનાત્મા, ૬ દર્શનાત્મા, ૭ ચારિત્રાત્મા અને ૮ વીર્યાત્મા. એક્સો સીતેર (૧૭૦) તીર્થંકરોનો વિચાર ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ તીર્થંકરો હોય છે. ક્યા ક્યા કાળે કેટલા હોય તે આ પ્રમાણે ૨૬૨ ઉત્સર્પિણી (ચઢતો કાળ)માં ભરતક્ષેત્રમાં આઠમા તીર્થંકર વિચરતા હોય ત્યારે ૧૭૦ તીર્થંકરો ઉપજે. તેની સંખ્યા આ પ્રમાણે-૫ ભરત, ૫ ઐરવત તથા પાંચ મહાવિદેહની ૩૨ X ૫=૧૬૦ વિજય મળી ૧૭૦ શ્રેત્રમાં એક એક તીર્થંકર વિચરે. તે તીર્થંકરો અવસર્પિણી ( પડતો કાળ )ના સોળમા તીર્થંકર સુધી હોય. જ્યારે ભરત-ઐરવતે ૧૦ તીર્થંકર ન હોય ત્યારે મહાવિદેહમાં ૧૬૦ વિચરતા હોય. કોઈ કેવળી, કોઈ પરણેલ, કોઈ બાળક હોય, એક મોક્ષે જાય ત્યારે બીજાને કેવળજ્ઞાન થાય. પાંચ મહાવિદેહમાં ઉત્સર્પિણીના આઠમા તીર્થંકરથી અવસર્પિણઈના સોળમા તીર્થંકર સુધી વિરહ ન પડે. ભરત-ઐરવતમાં વિરહ પડે, પણ મહાવિદેહમાં ૧૬૦ હોય. જ્યારે અવર્ષિણીકાળમાં સોળમા તીર્થંકર મોક્ષે જાય કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy