SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પ્રજાપતિ (વનસ્પતિ) સ્થાવરકાય જીવની રક્ષા કરે ૬ જંગમ (ત્રસ) ત્રસકાય જીવની રક્ષા કરે સાધુ નવાકોટી શુદ્ધ આહાર લે તેની સમજ ૧ મન-વચન,કાયાથી રસવતી બનાવે નહિ, બનાવરાવે નહિ અને બનાવતાને ભલો જાણે નહિ. ૨ મન-વચન-કાયાથી ખરીદે નહિ, ખરીદાવે નહિ, અને ખરીદતાને ભલો જાણે નહિ. ૩ મન-વચન-કાયાથી છેદન-ભેદન કરે નહિ, કરાવે નહિ અને કરતાને ભલો જાણે નહિ. એમ કુલ નવમોટી થાય. પાંચ પ્રમાદ (સવિસ્તર) ૧મદ, ૨ વિષય,૩ કષાય, ૪ નિદ્રા અને વિકથા એ પાંચ મુખ્ય પ્રમાદો છે. ૧ મદનાં આઠ ભેદ ૧ જાતિમદ-ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થવાનો અહંકાર કરવો તે. ૨ કુળમદ-મોટા-સારા કુળમાં ઉત્પન્ન થવાનો અહંકાર કરવો તે. ૩ બળમદ-શરીર બળવાન હોય તેનું અભિમાન કરવું તે. ૪રૂપમદ-અત્યંત સ્વરૂપવાન હોય, તે રૂપનો અહંકાર કરવો તે. પતપમદ-ઘણો તપ કરે તેનો અહંકાર કરવો તે. ૬ રદ્ધિમદ-દ્ધિનો-ઐશ્વર્યનો મદ કરવો તે. ૭ વિદ્યામદ-જ્ઞાનનો અહંકાર કરવો તે. ૮ લાભમદ-લાભ થાય તેમ લોભ વધે, લોભથી મળેલ વસ્તુનો અહંકાર કરવો તે. ૨ વિષય-પાંચ ઈદ્રિયોના વશમાં રહેવું તે પાંચ ઈન્દ્રિયોના વિષયો ૨૩થાય છે. (૧) સ્પર્શનેન્દ્રિયના આઠ-૧ હલકો, ૨ ભારે, ૩ લુખો, ૪ ચોપડેલો, ૫ સુંવાળો, ૬ ખરબચડો, ૭ ટાઢો અને ૮ ઉષ્ણ. | (૨) રસનેન્દ્રિયના પાંચ-૧ તીખો, ૨ કડવો ૩ કસાયેલો, ૪ ખાટો અને ૫ મધુર. ૨૬૦ કનકકુપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy