________________
અપવાદ માર્ગે જે કામ કરવું પડે, છૂટ રાખવી પડે તે આગાર કહેવાય. તે છ ભેદે છે.
૧. રાજાભિયોગ-રાજાની આજ્ઞાના દબાણથી કરવું પડે છે. ૨. ગણાભિયોગ-ઘણા લોકોના દબાણથી કરવું પડે તે. ૩. બલાભિયોગ-ચોર, લશ્કર અને લુંટારા વગેરેના દબાણથી કરવું પડે છે. ૪. દેવાભિયોગ-ક્ષેત્રપાલ વગેરે દેવોના દબાણથી જે કરવું પડે . ૫. ગુરુ-નિગ્રહાભિયોગ-માતા-પિતા વગેરે વડીલોના દબાણથી, જે કરવું પડે
૬. ભીષણ-કતાર-વૃત્તિ-ભયંકર પરિસ્થિતિમાં સપડાવું પડ્યું હોય કે આજીવિકાની ભારે મુશ્કેલી ઉભી થઈ હોય, તેથી જે કરવું પડે છે.
છ ભાવના ભાવના એટલે ઉત્તમ વિચારે, જેનાથી સમક્તિ વધુ દઢ થાય છે. તે જ છે. ૧. સમક્તિ ધર્મનું મૂળ છે. ૨. સમકિત ધર્મનગરનું દ્વાર છે. ૩. સમક્તિ ધર્મમંદિરનો પાયો છે. ૪. સમકિત ધર્મનો ભંડાર છે. ૫. સમક્તિ ધર્મનો આધાર છે. ૬. સમક્તિ ધર્મનું પાત્ર છે. આ રીતે છ ભાવનાઓ મજબુતપણે ભાવવી.
છ સ્થાને જેમાં સમકિત સ્થિર થાય તેનું નામ સમકિતનું સ્થાનક કહેવાય. તે છ ભેદે છે.
૧ આત્મા છે.જેનામાં ચેતનારૂપ નિશાની છે, તે આતમા છે. દુધ અને પાણી જેમ એકબીજામાં મળી જાય છે, તેમ આતમા અને પુગલ-શરીર એક બીજામાં મળી, ગયેલા હોય છે, પણ ખરી રીતે આત્મા પુદ્ગલથી જુદો જ છે. જેમ હંસ દુધ પીએ અને પાણીને જુદું કરે છે, તેમ સ્વ અને પરની વહેચણ રૂપ અનુભવજ્ઞાનથી આત્માને પુદ્ગલથી જુદો જ સમજે.
૨ આત્મા નિત્ય છે-આત્મા નિત્ય હોવાથી અનુભવેલી પાછલી વસ્તુને યાદ કરી શકે છે. જેમ બાળકને જન્મતાની સાથે જ ધાવવાનું મન થાય છે અને પૂર્વની
કનકકૃપા સંગ્રહ
૨૪૭