SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં એ લક્ષ્યમાં રાખવું જોઈએ કે જે ઢાષાને પ્રતીકાર (દ્વીકરણ) સ ંભવિત છે, તે દાષા તરફ ઉપેક્ષા એ માધ્યસ્થ્ય નથી, પણ જે દાષાનુ' દ્રીકરણ અસ’ભવિત છે, તેમની ઉપેક્ષા તે માધ્યસ્થ્ય છે. વિશ્વમાં કેટલાક પાપાત્માએ શિકાર વગેરે મહાહિંસા કરીને આનંદ માની રહ્યા છે, કેટલાક અસત્ય ખેલીને બીજાને છેતરવામાં પેાતાની બુદ્ધિના ઉપયેગ કરી રહ્યા છે, કેટલાકને ચારી કરીને ધન મેળવવામાં મજા પડે છે, કેટલાક પ્રામાણિકતાને માજુએ મૂકીને ધન-ધાન્ય વગેરે ભેગું કરવામાં પડયા છે, કેટલાક પરસ્ત્રીગમન જેવા મહાપાપ આદરી રહ્યા છે અને કેટલાક ધાદિ અનેક પાપામાં પેાતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. પાપીઓનાં આવાં પાપાચરણ જોઇને ધર્મમાર્ગની પ્રાથમિક અવસ્થામાં રહેલા જીવાને ક્રાધ ઉત્પન્ન થાય છે. આ ક્રોધરૂપ ચિત્તમલથી થતા અપાચાને નિવારવા માટે પાપીવિષયક માધ્યસ્થ્ય એ પરમ ઉપાય છે. સ્વાથ હાય તા પણ ક્રોધ ન કરવા જોઈએ, તે પછી જ્યારે કોઈ પણ પ્રકારના સ્વાર્થ હણાતા ન હેાય, ત્યારે ક્રોધ કરવા શુ ઉચિત છે? કેટલાક માણસા ‘બીજાઓએ આમ ન કરવુ જોઇએ, આમ કરવું જોઇએ, અમુક આ પાપ કરે તે તેને આ સજા થવી જ જોઇએ,' વગેરે પ્રકારની ક્રોધની સૂક્ષ્મ વૃત્તિઓમાં અથડાતા હેાય છે, જાણે તેમના માથે આખી દુનિયાને સુધારવા માટેની જવાબદારી આવી પડી ન હાય ! ७०
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy