________________
બે બોલ
भवजलहिम्मि अपारे, दुलहं मणुयत्तणंपि जंतूणं । તસ્થવિ મનસ્થર , સુન્નદં સદ્ધર્મવરરયf I (ધર્મરત્ન પ્રકરણ)
અગાધ એવા સંસાર સમુદ્રમાં પડેલા જીવોને મનુષ્યભવ અતિ દુર્લભ હોય છે. કદાચ પુણ્યોદયે મનુષ્ય ભવ તો મળી જાય પણ અનર્થને હરનાર શ્રેષ્ઠ ધર્મરત્ન મળવું તો અતિ દુર્લભ છે.
અનંત કરૂણાલું શ્રી અરિહંત પરમાત્મા સંયમ ગ્રહણ કરી, ઘોર તપશ્ચર્યા કરી, કઠોર ઉપસર્ગ - પરિષહોને સહન કરી, ચાર ધાતી કર્મોનો નાશ કરીને કૈવલ્ય રત્નની પ્રાપ્તિ કરે છે. ત્યાર બાદ સંતાપને હરનારી, કલેશ નાશીની તથા અનંત - અવ્યાબાધ સુખને આપનારી દેશના વડે સર્વ વિરતિ ધર્મ તથા દેશ વિરતિ ધર્મનો પ્રતિપાદન કરે છે.
સત્વશાલી જીવો સર્વ વિરતિ ધર્મનો આચરણ કરી પોતાનું કાર્ય સિદ્ધ કરે છે. ત્યારે અલ્પ સત્વવાળા જીવો સર્વ વિરતિપણાને ઝંખતા થતાં દેશ વિરતિ ધર્મ એટલે ગૃહસ્થ ધર્મનો આચરણ કરતાં હોય છે.
પરમ કૃપાળું પરમાત્માએ પ્રરૂપેલ વિરતિ ધર્મ (સર્વ વિરતિ તથા દેશ વિરતિ ધર્મ)નો વારસો આપણને પૂ. આચાર્ય ભગવંતોના માધ્યમથી મળ્યું છે. આ વારસાગત સંપત્તિનો પરિચય તથા લાભ ભવિ જીવો લઈ શકે તે હેતુથી બાલ બ્રહ્મચારી પૂ. આ. શ્રી વિજય કમલસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર શિષ્ય રત્ન યોગનિષ્ઠ પ.પૂ. આ. શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મ.સા.એ સર્વ પ્રથમ સર્વ વિરતિ ધર્મના