________________
આચારને દર્શાવતું વિવરણ એટલે શ્રી દશવૈકાલિક સૂત્રનો સરલ, સુંદર અને સુગમ ભાષામાં ભાષાંતર કરેલ છે.
ત્યારબાદ દેશ વિરતિના આચારને દર્શાવતા આ ગ્રંથનો (ગૃહસ્થધર્મનો) આલેખન કરેલ છે. લેખક શ્રીની શૈલી બહુ જ મનોહર, સરલ તથા શીધ્ર બોધ આપનારી હોવાથી વાચક વર્ગને અત્યંત ઉપયોગી છે.
આ ગ્રંથમાં શ્રાવકોના ૧૨ વ્રત, આચાર તથા વ્રતોને લાગતાં અતિચારોનો સુંદર વર્ણન કરેલ છે.
આચાર પરિચય, દોષ ક્ષય, આચાર શુદ્ધિ આદિ અનેકવિધ ઉપયોગી આ ગ્રંથની અત્યાર સુધીમાં શ્રી કમલ કેશર ગ્રંથમાલાએ અનેક આવૃત્તિઓ બહાર પાડીને ભવી જીવોના જીવનમાં વિશિષ્ઠ પ્રકાશ પાથરેલ છે.
તેની ઉપયોગીતા તથા ઉપાદેયતાનો ખ્યાલ રાખીને પૂ. ગુરૂદેવશ્રીએ શ્રી કેશર ચંદ્ર-પ્રભવ ગિરિવિહાર ગ્રંથમાલાના માધ્યમથી આ ગ્રંથ પુનઃ પ્રકાશિત કરેલ છે. તે સહુ કોઈ ભવી જીવો આ ગ્રંથરત્નનો સ્વાધ્યાય કરી આચાર શુદ્ધિ વડે સ્વ-પરના હિતને સાધીને શીધ્ર સિદ્ધિને પામે એજ મંગલ કામના સાથે. પૂજ્ય પાદ શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.
નો પાદ પઘરેણું મુ. વિજ્ઞાન પ્રભ વિજય.